Side B – 

વેદ-ના મૂળમાં રાષ્ટ્રની ભવ્યતા – અમદાવાદ – Sardar Patel Education Trust – આપણા બધાનું મૂળ વેદ છે. વેદનો ઋષિ કહે છે કે અમારું રાષ્ટ્ર કલ્યાણકારી હોય અને માત્ર કાયદાની સ્થાપના(Law And Order} થીજ એ શક્ય બને. જો કોઇ મોટામાં મોટું પૂણ્ય હોય તો તે ગુંડાના ત્રાસમાંથી પ્રજાને બચાવવી અને એજ મોટામાં મોટો યજ્ઞ છે. @5.35min. દુબઈમાં કાયદાની સ્થાપના વિશે. ત્યાંના શેખો ભારતીય વેપારીઓનું બહુ માન રાખે છે. સોનાના બજારમાં દુકાનદાર, દુકાન ખુલ્લી મુકીને ગમે ત્યાં જાય તો પણ ત્યાં ચોરી થતી નથી. દુબઈમાં જ્યારે બાબરી મસ્જિદનું રીએક્શન આવ્યું ત્યારે મુસ્લિમોનું ટોળું હિંદુ મંદિર પર ગયું અને જ્યારે શેખને ફોન કરીને જણાવ્યું ત્યારે એ બધાને પકડી પકડી પકડીને ૪૦૦-૫૦૦ જેટલા ભારતીય, પાકિસ્તાની અને બન્ગલાદેશી મુસલમનોને ૨૪ કલાકમાં દેશ નિકાલ કર્યા. @8.00min. જરુર સાંભળો સૌરાષ્ટ્રમા જસદણ પ્રાંતની અને ફ્રાન્સની જોન ઓફ આર્કની વાત. @13.00min. DSPએ કરેલી સાચી બનેલી વાત. એક કરાટે શીખેલી પટેલની દીકરીએ કેવી રીતે ગુંડાઓને ભગાડ્યા? @16.30min. સરદાર પટેલનું વ્યક્તિત્વ. @21.55min. ચાણક્યે લખ્યું છે કે પ્રજાને હંમેશા વૈભવશાળી બનાવવી કારણકે પ્રજાના વૈભવમાંથી રોજીઓ આવતી હોય છે. @30.30min. સત્તા અને વેક્યુમ વિશે. અમેરિકા અને ઇઝરાયેલની ધરતી પર એકે યુદ્ધ નથી થયું. રક્ષણનો પહેલો ઉપાય આક્રમણ છે.ચાણક્યે કહ્યું છે કે જેને પીઠબળ ન હોય તે આક્રમણ ન કરી શકે. તટસ્થ એટલેકે મિત્ર વિહોણી નીતિનો ગેરલાભ આપણને મળી ચુક્યો છે. @35.25min. અકબરે કહ્યું છે કે સેનાને કોઇ દિવસ નવરી ન રાખવી. આ વાતનું અમેરિકા પુરેપુરી રીતે પાલન કરે છે, પરંતુ આપણે હજુ સમજી શક્યા નથી. @37.35min. મોરીસીયસમાં ૧૦૮ ફુટની મહાદેવજીની પ્રતિમા જોઇને હું ખુશ ખુશ થઇ ગયો અને મારા મનમાં એક સંકલ્પ ઊઠ્યો કે જો ભગવાન મને શક્તિ આપે તો ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમા બનાવડાવું. એટલે મેં મારા આર્કિટેકને વાત કરી તેમણે ત્રણ માળની પોલી અંદર મ્યુઝીયમ બનાવી શકાય તેવી પ્રતિમાનું સૂચન કર્યું, એટલે મેં આપણા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળવા માટે ફોન કર્યો તો તેઓ સામેથી મને મળવા આવ્યા અને નકશા વિગેરે બતાવ્યા અને ત્યાંથી સરદારની ભવ્ય પ્રતિમાના નિર્માણનું કામ શરૂ થયું. આજકાલ સરદારના કાર્યને દિલ્હીવાળા ભૂંસી નાંખવાનો પ્રયત્ન કરે છે એટલે એમને ખબરપડે કે તમારો બાપ અહિ ઊભો છે અને આ પ્રજાના હ્રદયમાં મારું સ્થાન છે.