[સૌ વાંચક મિત્રો ને દિવાળી ની શુભકામના. આપણા દરેક પર્વો પ્રેરણા આપતા હોય છે,  પ્રેરણા આપે તેનું નામ પર્વ.  વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ વગેરે પર્વો શું સંદેશો આપે છે તે માણીએ. પુનઃપ્રકાશિત]

 

વાઘ જેવી પ્રજા, દિવાળી પર્વ

DHANSURAA,  Peoples Co-Operative Bank, Opening.

Side A –

@begin. સમૃદ્ધ ગોરી પ્રજા સાથે સરખામણી – દિવાળી પર્વના માધ્યમથી સમજણ. પ્રેરણા આપે તેનું નામ પર્વ. જે પર્વમાંથી  પ્રેરણા ન લે તે પ્રજાજ ન કહેવાય અને જે ધર્મગુરૂ પર્વની પ્રેરણાનો સંદેશો લોકો સુધી પહોંચતો ન કરે તે ધર્મગુરૂજ ન કહેવાય. @5.00min.વાઘ બારસ – કુદરતે આપેલી બાર ઇંદ્રિયોને પરાક્રમથી ભરી દો એટલે વાઘ જેવા થઇ જશો. @21.20min. ધન તેરસ – મૂળ ધન ધોવા માટેનું પર્વમાં આવેલી વિકૃતિ વિશે. @29.00min. સિંધનું પતન કેમ થયું? રાષ્ટ્રિય મહત્વકાંક્ષી અંગ્રેજો વિશે. 39.20min. ધનના ત્રણ મોટા દોષો.

Side B –

ધન તેરસ… ચાલુ,  @2.15min. કાળી ચૌદસ.  @16.00min. મહાકાળી ત્રણ અસૂરોનું દમન કરવાનું સૂચવે છે તે શુંભ નિશુંભ અને મહિષાસૂર એટલે કે અંતર રૂપ કામ, ક્રોધ અને લોભ. કાળી ચૌદસ આપણને જાગ્રત રહેવાની પ્રેરણા આપે છે. @18.40min. દિવાળી (દિપાવલી),  એક માન્યતા એવી છે કે ૧૪ વર્ષોના વનવાસ પછી, અયોધ્યાની પ્રજાએ શ્રી રામનું દિવા સળગાવી સ્વાગત કર્યું હતું ત્યારથી આ પ્રથા ચાલે છે. મહર્ષિ દયાનંદ સરસ્વતિનો દિવાળીને દિવસે દેહ વિલય વિશે. આ દિવસ સાથે મહાવીર સ્વામી પણ સંકળાયેલા છે. 29.30min. બેસતું વર્ષ. જીવનની કળવાશને ધોઇને મધુર કરવાનુ મિલન પર્વ. @34.50min. ભાઇબીજનું પર્વ. આ દિવસે બહેન ભૂલાવી ન જોઇએ. @36.30min. પ્રાર્થનાના પદો.