listen – Side A
મહાભારતના યુદ્ધમાંથી ભગવદ ગીતાનો ગ્રંથ કેવી રીતે પ્રગટ થયો તે અહી જાણવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. @3.58min. દુનિયાની પ્રજાને ચાર ભાગમાં વહેંચી શકાય. સૈનિક, સાંસ્કૃતિક, વિલાસી અને ફિલસુફીયુક્ત પ્રજા. આ બધી પ્રજાની વિશિષ્ટતાઓ સાંભળો. @10.03min.ભારતને ઉત્તર કાળમાં યુદ્ધ વિરોધી દર્શન મળ્યું. સુદામાનો સમાજ નથી હોતો. સુદામા વ્યક્તિ તરીકે મહાન છે કે ઘોર દરિદ્રી હોવા છતાં અને સૌથી ધનાઢ્ય શ્રી કૃષ્ણ સાથે ગાઢ સંબંધ હોવા છતાં લાંબો હાથ નથી કર્યો. જ્યારે તમારી પડતી દશા હોય ત્યારે કોઈ પૈસાદાર માણસના ઘરમાં પગ ન મૂકવો. વાસ્તવિકતા અને આદર્શ વિશે. ચઢતી દશામાં તમારી ખાનદાનીનું માપ નીકળે અને પડતી દશામાં તમારી ખુમારીનું માપ નીકળે. @16.18min. વિષ્ણુ ભગવાન અને મહાદેવના ઐશ્વર્યો વિશે. શ્રી કૃષ્ણ પાસે લક્ષ્મીનું અને સુદામા પાસે વૈરાગ્યનું ઐશ્વર્ય હતું. @19.05min. એક બ્રાહ્મણને લાખ રૂપિયા જોવાની ધૂન લાગી અને પછી શું થયું તે સાંભળો. @26.17min. એક ૮૫ વર્ષના ડોસાની વાત. નીતિ શાસ્ત્ર પ્રમાણે, પાંચ “જ-કાર” ને ભરી ન શકાય, જમાઈ, જઠર, જય, જાતવેદા(અગ્નિ) અને જળાશય(સમુદ્ર). શ્રી સહજાનંદ સ્વામી – જેતલપુરમાં યજ્ઞ થાય. એક કોળીની પ્રબળ ઈચ્છાથી તેની પછેડીમાં બાંધેલો રોટલો ખાધો. ઘણા સ્વામીનારાયણના સાધુઓને તે બાબતે પૂછ્યું તો કહે કે એ તો ભગવાન કહેવાય, આપણાથી ન ખવાય. @36.25min. કલેકટર બનેલા છોકરાએ બાપને નોકર બનાવ્યો. કૃષ્ણ બધું પડતું મુકીને સુદામાને મળવા દોડ્યા અને ભેટી પડ્યા, તેને પોતાના સિંહાસન પર બેસાડી પોતે નીચે બેઠા. @43.59min. “सबसे ऊंची प्रेम सगाई” શ્રી કૃષ્ણે તાંડદા ખાવાના શરુ કર્યા અને રુકમણીએ બધા ખાઈ જતા અટકાવ્યા. સુદામા ત્યાંથી વિદાય થયા પણ એક કોડી પણ ન આપી. સુદામાની ઝુપડી હવેલી થઇ ગઈ, આનંદ આનંદ થઇ ગયો.

listen – Side B
પ્રજાને સાદાઈનો ઉપદેશ આપવાથી અર્થતંત્ર મારી જશે. @1.26min. બનાસકાંઠા બસમાં એક પાદરી સાથે પુનર્જન્મની ચર્ચા જરૂર સાંભળો. ભગવદ ગીતામાં દર્શન, સમૃદ્ધિ, સૈનિકપણું અને સંસ્કૃતિ આ ચારે-ચારનો મેળ છે. શ્રી કૃષ્ણે દુર્યોધનને કહ્યું કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ. કૃષ્ણ અને અર્જુન બન્ને શ્રી કૃષ્ણને પોતાના પક્ષમાં લેવા પહોચી ગયા, દુર્યોધન સુતેલા, શ્રી કૃષ્ણના માથા આગળ અને અર્જુન પગ આગળ બેસી ગયા તેમાંથી શું શીખવાનું છે, તે સાંભળો. @10.50min. એક ગામમાં અખંડ કીર્તન અને ત્યાં નારાયણ પછી લક્ષ્મીનું પધારવું તે વિશે સાંભળો. @20.04min. કૃષ્ણ અને તેની યાદવી સેના(ઈશ્વર અને તેનું ઐશ્ચર્ય). દુર્યોધને ઐશ્ચર્ય માંગ્યું. અર્જુને શ્રી કૃષ્ણને માંગ્યા. @21.39min. મહારાજા સયાજી રાવ ડભોઇ આવેલા તે વખતે એક બ્રાહ્મણને માંગવાનું કહ્યું તો શું માંગ્યું તે સાંભળો. પ્રભુને પ્રાર્થના કરવી કે ” હે પ્રભુ જેને લાયક હું ન હોઉં કે જેમાં મારું ભલું ન થતું હોય તો હું તે માંગુ તો પણ તે મને આપીશ નહિ અને જેમાં મારું ભલું થતું હોય તે હું નાં માંગું તો પણ મને સામે ચાલીને આપીશ.” ભગવદ ગીતાની આ ઉત્થાનીકા છે અને તેમાં બન્ને તરફથી પૂરેપૂરી તૈયારી છે. @27.33min. અમૃતસરમાં એક પંડિત સાથે શાસ્ત્રાર્થ સાંભળો. @35.16min. મહાપુરુષ કોણ કહેવાય? @36.59min. ભજન – સબસે ઊંચી પ્રેમ સગાઇ અને કબીર દોહા, શ્રી જગજીત અને ચિત્ર સિંઘ.