[આખી જનતાને  સુખી અથવા દુઃખી બનાવવાના ચાર મુખ્ય ઘટકો છે. ધર્મ, સમાજ, અર્થ અને રાજ. ધર્મ જો પ્રજાના  પ્રશ્નો ઉકેલે તો પ્રજા સુખી થાય, પરંતુ જ્યારે ધર્મ, ધર્મ મટીને સંપ્રદાય બની જાય ત્યારે તે પ્રશ્નો ઊભા કાર્ય વિના રહી શકે  નહિ. રાજકારણ રાજનેતાને આધીન છે. પ્રજા માટીનો પીંડ છે. રાજનેતા રાજનીતિનો જનક છે અને એ રાજનીતિ પ્રજાને ઊંચે લઇ જાય છે અને ખાડામાં  પણ નાખે છે. 

– સ્વામી સચ્ચિદાનંદ ]

ચાણક્ય – VADODARA, In memory of KamlaShankar Pandya

@Begin. શાસ્ત્રના ત્રણ ભેદ- ધર્મ શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, અને નીતિ શાસ્ત્ર.ધર્મ શાસ્ત્ર સમુહની બાહ્ય વ્યવસ્થા કરી આપે પરંતુ સંપ્રદાયો ધર્મની નહિ પણ પોતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાની વ્યવથા કરે.રાજ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા વિશે. @6.05Min. નાસ્તિક સજ્જન(Rationalist) સાથે પાપ-પૂણ્યની વ્યાખ્યા. નાસ્તિકોના મત પ્રમાણે પાપ જેવી કોઇ વસ્તુજ નથી તો પતિ પત્નીના સંબંધો કેવી રીતે ટકશે? જવાબમાં કહ્યું કે એતો અમારે ત્યાં છૂટ છે. @11.25Min. દર્શન શાસ્ત્ર – માણસની આંતરિક વ્યવસ્થાને ઠીક કરે છે. આસ્તિકતા કરતાં નાસ્તિકતા બહુ કઠીન છે કારણકે આસ્તિકતા જેવા નાસ્તિકતા પાસે સમાધાનો નથી, સાંભળો ઉદાહરણો. @19.00Min. બૌદ્ધોના સામે સૌથી વધુ ટક્કર લેનારા વિદ્વાન ઉદયનાચાર્ય જેમણે ઈશ્વરસિદ્ધિનું મોટું પુસ્તક લખેલું તે વિશે. @26.50Min. નીતિ શાસ્ત્ર, ખરો રાજકીય અર્થ, પોતાના બચાવ માટે યુક્તિઓ બતાવે તેનું નામ નીતિ. @32.00Min. ચાણક્યે લખ્યું છે કે જે સ્ત્રી હઠીલી અને વહેમીલી હોય તે જરુર માર ખાવાની. કુટ નીતિ (રાજ નીતિ- વાંદરા-મગરનું)નું ઉદાહરણ. @35.30Min. ચાણક્ય(વિષ્ણુદત્ત) ચરિત્ર ચાલુ. જુલ્મી નંદ રાજા નો શિકાર ચાણક્ય થયો છે. ગાંધીજીમાં પ્રતિક્રિયા, ગાંધીજીને આફ્રિકામાં ટ્રેનમાંથી ફેંકી દીધા પછી થયેલી. મુત્સદ્દીગીરી જન્મજાત હોય છે. પરાક્રમને હંમેશા મુત્સદ્દીગીરીની જરૂર હોય છે. @40.40min. અપમાનિત થયેલો, નિરાશ થયેલો ચંદ્રગુપ્તને જંગલોમાં ચાણક્યનો મેળાપ. શિવાજીના રાજ્યભિષેક વિશે. ચાણક્યની વિશેષતા. @45.58min. રાજા, દિવાન અને ભરવાડનું દ્રષ્ટાંત.

@Begin. ચાણક્ય ચરિત્ર ચાલુ. ખુમારીથી જીવવું હોય તો, સ્વાવલંબી બનવું. ચંદ્રગુપ્તની મા મુરા વાળંદ અને તે નંદ રાજાની દાસી હતી. ચાણક્ય ધરતીપરનો વાસ્તવિક માણસ હતો. આદર્શવાદમાંથી ઢોંગ-પાખંડ ઊભું થતું હોય છે. @6.10Min. જરુર સાંભળો ચાણક્યની વિજય મેળવવાની મુત્સદ્દીગીરી, રાજનીતિ અને યુદ્ધનીતિ વિશે. ભારતમાં માઓવાદ કેવી રીતે આવ્યો? ભારતના ચાર પ્રકારના યુદ્ધો. @12.10Min. પૃથ્વીરાજનું ત્રણ લાખનું અને સાબુદ્દીનનું એક લાખનું સૈન્ય, છતાં હાર્યો. 16.13Min. ચાણક્ય પછી બીજા ચાણક્ય થયા હોય તો તે શિવાજી અને સરદાર પટેલ છે. @21.00Min. દેશની આઝાદીને કેવી રીતે ટકાવવી? ચાણક્યને સમજી રાષ્ટ્ર્ના પ્રશ્નો ઊકેલીએ. @26.00Min. ધર્મની યુગ સાથે યાખ્યા. કર્મવાદનો અતિરેક @38.40Min. રાષ્ટ્રભક્તિ ગીતો.