[

ઇશાવાસ્ય ઉપનિષદ

ईशावास्यं इदं सर्वं यत् किन्चा जगत्यां जगत |
तेन  त्यक्तेन  भुञ्जीथा  मा गर्धः  कस्य  सवित  धनं|

]

 

હૃદય-મસ્તિસ્કના ગુણો નો અને કર્મો

listen– Side A
– પ્રથમ ઉપનિષદનો દ્વિતીય મંત્રનો ટૂંક સાર. पुर्वनेवेः कर्मणि…न कर्म लिप्यते. કર્મ મસ્તિસ્ક અને હૃદયના ગુણોથી થાય છે. “વિવેક” એ મસ્તિસ્કનો ગુણ છે. “પ્રેમ, શ્રદ્ધા અને દયા” એ મસ્તિસ્કના ગુણો છે. હૃદયના ગુણોનો ઊભરો આવે છે. મસ્તિસ્કના ગુણોમાં નથી આવતો. બંને ગુણો જયારે એકબીજાના પુરક બને ત્યારે માણસમાં પૂર્ણતા આવે છે. ભગવદ ગીતા અને ઉપનિષદ બંને ગુણોને ખીલવવા માંગે છે. @6.00min. આપને ત્યાં “પ્રેમલક્ષણા ભક્તિ” વાળા જે સંતો થયા, મીરાબાઈ, નરસિંહ મહેતા, ચૈતન્ય મહાપ્રભુ વિગેરે, તેમનું હૃદય તો બહુ ખીલ્યું પરંતુ મસ્તિસ્ક જોઈએ તેટલું ખીલ્યું નહિ, એટલે સંસારમાં ફેઈલ થયા પરંતુ વર્ષો પછી હજ્જારોને પાસ કરનારા થયા. નિષ્ઠા, શ્રદ્ધા, આસ્થા, એ હૃદયના વિષય છે. @8.00min. કસ્તુરબાની નિષ્ઠાનું ઉદાહરણ અને વૈચારિક ઉદારતા વિશે. @12.50min. આ હૃદય કે મસ્તિસ્કના ગુણો હંમેશા ભલું કરનારા હશે એવું માનવું નહિ. ઉદાહરણ સાંભળો. સૌથી મોટામાં મોટો ગુણ “વિવેક” છે. તમારી શ્રદ્ધાને પણ વિવેકના ત્રાજવામાં નાંખવાની નહિ તો તે અંધશ્રદ્ધા કે કુશ્રદ્ધા થઇ જશે. @15.40min. પ્રવૃત્તિના ભેદો. જેની પ્રવૃત્તિ કુદરતી આવેગ જેટલીજ સિમિત થઇ જાય છે તેનું જીવન પશુ કક્ષામાં છે. @24.45min. કુદરત જેવો કોઈ મિત્ર નથી અને કુદરત જેવું કોઈ શાસ્ત્ર નથી. કુદરતને આપણે માતા કહીએ છીએ અને પરમેશ્વરને પિતા કહીએ છીએ. માતાના ખોળામાં બેઠો છે તેજ પિતાનો વારસદાર છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ વિશે સાંભળો. માણસના વ્યક્તિત્વના ચાર બિંદુઓ. અધોદ્વાર, પેટ, હૃદય અને મસ્તિસ્ક તે વિગતે સાંભળો. @38.20min. વાચસ્પતિ મિશ્ર – પોતે રચેલા ગ્રંથનું નામ “ભામતી”-પોતાની પત્નીનું નામ કેમ આપ્યું? @44.27min. ઈચ્છાના ચાર રૂપો. અલ્પેચ્છા, તીવ્રેચ્છા, પ્રબળેચ્છા અને મહેચ્છા. @45.42min. મીરાં ભજન -શ્રી મતિ અનુરાધા પૌડવાલ.

 

પ્રતિભા, પ્રયોગ અને કર્મ-ફળ

listen – Side B
– પ્રતિભા અને પ્રયોગ: વૈદરાજોની પ્રતિભા વિશે. પ્રતિભાથી કેટલીક વાર ગેર-સમાજ થાય અને ધોકો પણ ખાઈ જવાય. પશ્ચિમની પ્રજા પ્રયોગશાળાથી આગળ વધી એટલે ત્યાં વિજ્ઞાન આવ્યું અને આપણે પ્રતિભાના જોરે આગળ વધવાનો પ્રયત્ન કર્યો એટલે આપણે ત્યાં દર્શનો આવ્યા. @3.14min. શંકરાચાર્ય અને બુદ્ધના સત્યો વિશે. બુદ્ધે દુઃખને સત્ય માન્યું અને તેનું કારણ ઈચ્છા એટલે વાસના, કામના, તૃષ્ણા છે, એટલે તેનો ઉપાય ત્યાગ છે. તૃષ્ણાના બે કેન્દ્રો પૈસો અને સ્ત્રી છે એટલે આ બંનેનો ત્યાગ કરી દુઃખના કારણથી મુક્ત થવાય. આવી રીતે દેશમાં ત્યાગ ધર્મ આવ્યો, પરિણામે ભારતની પ્રજા ઈચ્છાને અલ્પ કરવામાં તેનો આદર્શ માનવા લાગી. @10.02min. અલ્પેચ્છાનું એક લંગોટીજ પહેરતાં મહારાજનું દ્રષ્ટાંત. પશ્ચિમવાળાએ ઈચ્છા પૂરી કરવાનો પુરુષાર્થ કર્યો. આમ દુઃખ નિવારવાના ત્રણ માર્ગો થયા. ઈચ્છા કરવીજ નહિ, ઈચ્છાને અલ્પ કરવી અને ઈચ્છા પૂરી કરવા પુરુષાર્થ કરવો. @16.47min. ૧૯ વર્ષના છોકરાની મહત્વકાન્ક્ષા. @19.00min. ઉપનિષદો અલ્પેચ્છા કે તીવ્રેચ્છા વાળા નહિ પરંતુ પ્રબળેચ્છા અને મહેચ્છા વાળા કર્મો કરવાનું કહે છે. તીવ્રેચ્છામાં લાગણીનું તત્વ હોવાથી એવા કર્મો કરવા નહિ. પ્રશ્ન: તો એવા કર્મો કરીએ તો ફળ ભોગવવા પડે ને? કર્મના ફળ ભોગવવાના બે સિદ્ધાંત: કર્મને ભોગવવાનો અને કર્મને લોપાયમાન કરવાનો તે હવે ઉદાહરણ સાથે વિગતે સાંભળો. @31.52min. ઉપનિષદ શું કહે છે? एवंत्वयी न्यान्थेतोस्ति न कर्म लिप्यते. કર્મ લોપાયમાન થવા માટે તેને ભાગવત ભાવનાથી ભરી દો. ભાવનાનું જગત, વાસનાના અને મોહનના વિજય મીળવે છે. જો તારામાં ભગવદ બુદ્ધિ હશે તો સો વર્ષ સુધી કર્મો કરો તો પણ કર્મો લોપાયમાન થશે નહિ. @36.20min. સંત રચિત દોહા અને ભજન – શ્રી અનુપ જલોટા.