કર્તવ્ય કથા રામાયણ – ઊંઝા

Side A –
– આજે જયારે રામચરિત માણસની કથાઓ થાય છે અને વાલ્મીકી રામાયણ લગભગ ભૂલવા માંડ્યું છે તો વાલ્મીકી કથાનો હેતુ શું છે તે સાંભળો. રામાયણની કથામાં ડગલે અને પગલે કર્તવ્યની પ્રધાનતા છે. @3.03min. પ્રજા ક્યારે મહાન બની શકે? જ્યારે એને વારંવાર કર્તવ્ય સમજાવવામાં આવે ત્યારે. આટ-આટલી કથાઓ કર્યા પછી પણ પ્રજા મહાન કેમ નથી બનતી? આનો ઉત્તર જોઈતો હોય તો કથાના ચાર રૂપ સાંભળો. કર્તવ્ય કથા, વૈરાગ્ય કથા, વ્યક્તિ કથા અને તુક્કા કથા. આજે આ ચાર કથાઓમાંથી કઈ કથાઓ થઇ રહી છે? એનો નિર્ણય તમારે કરવાનો છે. કર્તવ્ય કથા – કર્તવ્ય એજ સાધના, એજ આરાધના, એજ ઉપાસના આ ઋષિ યુગ છે. ઈશ્વર તમારી સાથે છે પણ ઈશ્વરના દર્શન કર્તવ્યના માધ્યમથી તમને થાય છે. કર્તવ્ય કથાઓ ન્યૂન થઇ ગઈ પછી વૈરાગ્ય કથા આવી, એણે શરીર પ્રત્યે ઘ્રણા કરાવી તે સાંભળો. શરીરમાં રાગ કરવા જેવો નથી અને સ્ત્રી તો નરકની ખાણ છે, મોહ પમાડનારી છે. અહિયાં કોઈ કોઈનું સગું નથી, આ બધાને છોડો આ વૈરાગ્ય કથા છે. વૈરાગ્યનું પરિણામ ત્યાગ છે. દેશ પુરુષાર્થીઓથી ઉંચો આવતો હોય છે. વૈરાગ્યની કથાનું પ્રમાણ સતત વધારી દેવામાં આવે તો તમે ત્યાગીઓ તો પેદા કરી શકો પણ સિકંદર, નેપોલિયન જેવા સાહસિક માણસો પેદા ન કરી શકો પણ મડદા જેવા માણસો પેદા કરી શકો. વૈરાગ્યની જીવનમાં જરૂર છે પણ તે કર્તવ્ય કરવા માટે, કર્તવ્ય છોડાવવા માટે નહિ. @7.55min. જો વૈરાગ્ય કર્તવ્યને છોડાવે તો વૈરાગ્ય વિષાદ બની જાય (ગીતા). આ વૈરાગ્યમાં કર્તવ્ય ભ્રષ્ટતા છે. તમારો લશ્કરનો વડો ચાઈના- પાકિસ્તાન સાથે યુદ્ધ ફાટી નીકળે અને એજ વખતે એને વૈરાગ્ય થઇ જાય અને કહે કે મારે આ હિંસા નથી કરવી અને મારું રાજીનામું લઇલો, હું હિમાલયમાં જઈશ અને આત્માનું કલ્યાણ કરીશ તો આ 30 વર્ષથી પગાર ખાતા સેનાપતિને શું કહેશો? આ વૈરાગ્ય નો પ્રજાનું નિકંદન કાઢી નાખશે. ત્રીજી વ્યક્તિ કથા, જે વ્યક્તિ હાજર હોય, બેઠો હોય તેમનો જયજયકાર કરવામાં કથાઓ થતી હોય. કોઈ મહાત્માની મરણ તિથી આવે અને એ તિથી પૂરતા આપને એની મહિમા ગાઈએ એ બરાબર છે, પણ એ મહાત્મા જીવતા હોય, હાજર હોય અને એમનીજ રૂબરૂ એમનાજ ગુણ ગાવાની કથા કરવામાં આવે એને વ્યક્તિ કથા કહેવાય. ભગવાનની જગ્યાએ એમનોજ ફોટો હોય અને એમનાજ ચમત્કારોની કથા હોય એનું નામ છે વ્યક્તિ કથા. @13.44min. ચોથી તુક્કા કથા છે. કથા તુક્કાઓથીજ શરુ થાય છે. ડોસીની સોયના નાકામાંથી ઊંટ નીકળી જાય એ તુક્કા કથા છે. તુક્કા કથાઓથી અંધશ્રધ્ધાળુઓ પેદા થતા હોય છે અને એના દ્વારા પ્રજાનું વધારે અકલ્યાણ થતું હોય છે. @15.22min. અહિંયા વાલ્મિકી રામાયણ છે, એમાં આદિથી અંત સુધી કર્તવ્ય કથા છે. અહિયાં રામ સવાર-સાંજ સંધ્યા કરે છે, આખો દિવસ કર્તવ્ય કરે છે અને બીજાને કર્તવ્ય કરવાનું કહે છે, કોઈ બાવાઓની જમાત લઈને ફરતા નથી. સીતા ગઈ તો મૂઈ ગઈ, આપણે બીજી, એવું કહેતા નથી. ગોરખનાથ – મછંદરનાથનું ઉદાહરણ. અમારા આશ્રમોમાં પણ ગોરખધંધા થતા હોય છે, તે સાંભળો. મિલકત-સોનાની ઈંટ સાચવવી એ કર્તવ્ય છે એમાંથી ઘણા લોક-કલ્યાણના કામો થઇ શકે. @19.07min. અર્જુન કહે છે, હું યુદ્ધ નહિ કરું, કૃષ્ણ કહે છે તારે યુદ્ધ કરવું પડશે. ખરી લડાઈ કૌરવો-પાંડવોની નથી, પરંતુ કૃષ્ણ અને અર્જુનની વૈચારિક લડાઈ છે. કૃષ્ણ એને કર્તવ્ય પ્રધાન જીવન બતાવે છે. પહેલાંના જમાનાની છત્રીસ પાટીદારોની છત્રીસ વડની કથા સાંભળો. છત્રીસ પાટીદારોએ દિક્ષા લઇ લીધી પછી શું થયું તે સાંભળો. ભગવદ ગીતા અને રામાયણ કર્તવ્યને મહત્વ આપે છે, તમારી ડ્યુટી એજ તમારી ઉપાસના છે, એના માધ્યમથીજ ભગવાનને ઓળખવાનો છે. ડાહયા માણસો ભૂલોમાંથી બોધપાઠ લેતા હોય છે, મૂર્ખાઓ દોષ એકબીજાના ઉપર ઠાલવે છે. @24.03min. રામ અને લક્ષ્મણનું સીતાને શોધવું એ કર્તવ્ય છે. રામાયણમાં રાજનીતિ અને ધર્મનીતિ છે. ધર્મનો અર્થ ન્યાય છે, સત્ય અને ન્યાય એકજ શબ્દ છે. આમ ધર્મ, ન્યાય, સત્ય એકબીજાના પર્યાય છે. તમારી વ્યાખ્યાના દ્વારા જો લોકોને અન્યાય થતો હોય તો તમે અધર્મની વ્યાખ્યા કરી રહ્યા છો. નીતિનો અર્થ, બીજાની લુચ્ચાઈ, ચતુરાઈથી બચવા માટેની કુશળતા એનું નામ નીતિ છે. શિવાજીનું દ્રષ્ટાંત – ઔરંગઝેબની જેલમાંથી કેવી રીતે ભાગી છૂટ્યા તે સાંભળો. “લાખ મરજો પણ લાખોના તારણહારને મરવા ન દેશો” શિવજીએ મોગલોને જંપીને બેસવા ન દીધા. @31.15min. નીતિ વિશે વધુ સમજણ. શબરીએ રામને સુગ્રીવ સાથે મૈત્રી કરવાની સલાહ આપી. ઈંગ્લેન્ડનું બીજા વિશ્વયુદ્ધનું ઉદાહરણ. વાલીને રામે કેવી રીતે માર્યો તે સાંભળો. @39.29min. રામનો બચાવ સાંભળો. “अनुज बधू भगिनी सूत नारि सुनु सठ कन्या समये चारी, इन्ही कुदष्टि बिलोकित जेहि, ताहि बढे कछु पाप न होय.” ચાર સ્ત્રીઓની ઉપર કુદ્રષ્ટિ કરે તીને મારવામાં પાપ ન લાગે. પોતાના ભાઈની પત્ની, પુત્રવધુ, બહેન અને દીકરી. એક ગામની છોકરી કેમ ડૂબી મારી તે સાંભળો. બાપ મરે તો માં છોકરાંને ઉછેરીને મોટા કરે પણ માં મરે તો બાપની તાકાત નથી કે છોકરાં ઉછેરીને મોટા કરી શકે. @43.37min. એક ભાગીને આશ્રમમાં રહેવા આવેલી બહેનની વાત સાંભળો. સંયુક્ત કુટુંબમાં કોઈ સસરો હેરાન કરતો હોય તો કોઈ જેઠ તો કોઈ દિયર, કેટલા પ્રશ્નો છે? તારાએ રામને ગાળો દીધી, મરતી વખતે વાલીએ શું કહ્યું તે સાંભળો.

Side B –
– રામે વાલીનો અગ્નિ સંસ્કાર કરાવ્યો. લક્ષ્મણે સુગ્રીવનો રાજ્યાભિષેક કરાવ્યો, અંગદને યુવરાજ બનાવ્યો અને તારા પણ વાલીની પત્ની બની. રામાયણમાં વિચિત્ર પત્રો છે. એક તરફ સીતા પતિવ્રતા ધર્મ માટે ઝઝૂમી રહી છે અને બીજી તરફ વાલીની પત્ની તારા સુગ્રીવની પત્ની બને છે. સંસ્કૃતિ ક્યાં ગઈ? લોકોની સંસ્કૃતિ અલગ અલગ હોય છે, જેણે ભ્રમણ કર્યું હોય તેજ આ જાણી શકે છે. @2.24min. હિમાચલ પ્રદેશમાં આજે પણ ચાર-પાંચ ભાઈઓ હોય તો એકજ પત્ની રાખે છે, અને ત્યાં એ સહજ રીતે ચાલે છે. આપણે ત્યાં અમુકમાં પુનર્લગ્ન કરી શકે અમુકમાં નહિ કરી શકે, આજે તો ઘણી છૂટ થઇ છે, એ સારું છે. પુનર્લગ્ન કરનારી સ્ત્રીઓ શું નરકે જવાની? અને પુરુષ પુનર્લગ્ન કરે તો? આ ધર્મ નથી પણ રૂઢિ છે, રિવાજ છે. આખી દુનિયામાં જુદી જુદી સંસ્કૃતિઓ હોય છે અને એના દ્વારા સમાજ બનેલો હોય છે. @5.32min. સ્વામીજી ઇન્ગ્લેડમાં સ્ત્રી મેયરને મળવા જવા વિશેનો અનુભવ સાંભળો. કઈ સંસ્કૃતિ સારી? સંસ્કૃતિને કોઈ જોખશો નહિ. તમારી સંસ્કૃતિ તમારી રીતે સારી છે અને બીજાની સંસ્કૃતિ એમની રીતે સારી છે. ઈતિહાસમાં રસ હોય તો વાનરો કોણ હતા તે અને હનુમાન શબ્દનો અર્થ સાંભળો. @11.02min. વાનર અને ભાલુ વિશે. રામ અને લક્ષ્મણ માલ્યવાન પર્વત પર ગયા. સીતાજીએ તેના ઉત્તરીય વસ્ત્રો તથા દાગીના નીચે કેમ ફેંક્યા તે સાંભળો. સ્વામીજી એક વખત ટ્રેનમાં દિલ્હી આવતી વખતે સાથે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ પણ હતા, ત્યારનો એક મીયાંજી સાથેનો વાર્તાલાપ સાંભળો. “भ्राता पिता पुत्र उरगारी ……रविही बिलोगी. તુલસીમાં લખ્યું છે કે પોતાનો ભાઈ, પિતા હોય, દીકરો હોય, હે ગરુડ, કોઈ રૂપાળો સુંદર પુરુષ જો કોઈ સ્ત્રી જુએતો એ તરતજ વિચલિત થઇ જાય, પોતાના મનને રોકી શકે નહિ. બંને પ્રકારના કોડીના માણસો છે અને કરોડના માણસો પણ છે. ઈતિહાસતો કરોડના માણસોનોજ હોય. @16.22min. કોઈ રીતે સીતા માની નહિ એટલે સીતાને અશોક વાટીકામાં મોકલી આપી. સ્વામીજીના આશ્રમે એક બાવીસેક વર્ષની કન્યા રાત રહેવા માટે કેમ આવી તે આખી વાત સાંભળો. આ સ્ત્રી ગણતરી કરતા બે કલાક બહાર રહી તો એના પર સાસરીયાવાળા કલંક લગાવવાનો પ્રયત્ન કર્યો. @23.00min. રામે સીતાના કપડાં દાગીના જોયા ત્યારે વિહ્વળ થઇ ગયા. રમે લક્ષ્મણને પૂછ્યું કે તું આ દાગીનાને ઓળખે છે? ત્યારે આ રામાયણનો પ્રસિદ્ધ શ્લોક સાંભળો. “केयुरेनैव जानामि नैव जानामि कुण्डले, न्रुपुरे तैव जानामि नित्यं पादमि वन्दना. લક્ષ્મણ કહે છે કે હું કુંડળ કે કંગન જાણતો નથી પણ ફક્ત નૃપુરજ જાણું છું, કારણકે હું રોજ ભાભીને પગે લાગતો ત્યારે નૃપુરજ જોયેલાં. જેને ઉપાડી લઇ જઈ શકાય એનું નામ સ્ત્રી એટલે સ્ત્રીઓએ રાત્રે રખડવું નહિ. તુલસીનું વર્ષા ઋતુનું વર્ણન અને રામની મનોવ્યથા તુલસીની ચોપાઈઓ દ્વારા સાંભળો. મીરાંબાઈનું પદ “નિંદાના કરનારા નરકેરે જાશે, ફરી ફરી થાશે ભોરિંગ, ભાઈ મને ભાગ્યે મળ્યો છે સાધુ પુરુષનો સંગ.” @29.31min. શૌર્ય વિના ઈતિહાસ ન હોય. એક વાણિયાની સભાનો અનુભવ સાંભળો. કોઈ વાણિયાની પ્રેમ-કથા સાંભળી? કાઠિયાવાડમાં એકેએક જગ્યાની કથાઓ સાંભળવા મળશે. અમર સંત દેવીદાસની કથા સાંભળો. એમણે જીન્દગીભર રક્તપીતિયાઓની સેવા કરી. @33.13min. રાવણે સીતાને લલચાવવામાં કંઈ બાકી ન રાખ્યું પણ સીતા ના બદલ્યા, ના બદલ્યા તે ના બદલ્યા. @33.45min. બ્રહ્મસુત્રથી માયાવાદ. @43.08min. ભજન – હૃદય સુનું હરિનામ વિના – શ્રી નારાયણ સ્વામી.