[ ઇશાવાસ્ય ઉપનિષદ

ईशावास्यं इदं सर्वं यत् किन्चा जगत्यां जगत |
तेन त्यक्तेन भुञ्जीथा मा गर्धः कस्य सवित धनं|

]

 

દેવલોક, અસુર્લોક અને ભ્રમણાં

listen – Side A
– ઉપનિષદની વિશેષતા, એમાં સંપ્રદાય કે પંથ નથી, મતમોહ નથી અને કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે આવું તિલક કરજો, આવી કંઠી બાંધજો કે અમુકજ મંત્ર કરજો. ઉપનીષદોમાં ક્ષુલ્લક વાતો નથી. ઉપનિષદ સત્યને જાણવાની ઈચ્છા વાળા જીજ્ઞાસુ લોકો માટે અત્યંત ઉપયોગી ગ્રંથ છે. @2.30min. મંત્ર: असुर्या नाम ते लोका अन्धेन तमसा वृताः જેમણે પોતાના આત્માની હત્યા (અહી આપઘાત સમજવું નહિ) કરી એવા આત્મ હત્યારાઓ અસુર્ય નામના લોકને પ્રાપ્ત થાય છે. એટલેકે જેણે બધું તો જાણ્યું પરંતુ આત્માને જાણ્યો નહિ એટલેકે આત્માની ઉપેક્ષા કરનારા મર્યા પછી આવા ગાઢ અંધકાર વાળા લોકમાં જાયછે. લોકનો અર્થ (શંકરાચાર્ય) જ્યાં વિષયોના ભોગ ભોગવી શકાય તે. બે મૂખ્ય લોક – અસુર લોક અને દેવ લોક (ગીતા અધ્યાય ૧૬). જેનું આરોગ્ય સુધરે તેનું તન સુધરે અને જે સદગુણો ભરે તેનું મન સુધરે. @5.50min. અનુવાંશિક રોગો અને ગુણો વિશે. લોક ઉપર નથી બધા પૃથ્વી ઉપરજ છે. @8.00min. દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ વિશે. દેવ લોક – એટલે જ્યાં કોઈ કોઈને છેતરે નહિ, કોઈ જુઠું બોલે નહિ, કોઈ કોઈને ઠગે નહિ, કોઈ ઓછુ ન જોખે, પડેલું હોય તે કોઈ લે નહિ, વચન પાળે, ઈશ્વરમાં ભક્તિ હોય અને લોકો ન્યાય નીતિથી જીવતા હોય તે દેવ લોક કહેવાય. બોલો આ અહિ ઘટશે કે પરદેશમાં? અસુર લોક – એટલેકે જ્યાં કલહ થયા કરતો હોય, માન જેવી કોઈ વાત નહિ અને એક-બીજાને અગવડ પહોચાડવામાંજ લોકો રચ્યાપચ્યા રહેતા હોય ત્યાં લોકો સુખી થાય કે દુઃખી? @12.00min. કુગ્રામવાસની વ્યાખ્યા – જ્યાં શાંતિથી લોકો તમનેજીવવા ન દે. અસુર લોકની પહેલી નિશાની ગંદકી, એમાં દેવો રહે ખરા? @13.10min. જૈન મુની અને હિંસા વિશે. ભારતમાં જેટલી હિંસા થાય તેટલી બીજા દેશોમાં થતી નથી. ઓછી હિંસા કરીને વધારે સુખ પૂર્વક ક્યાં લોકો રહે છે? પરદેશમાં એટલેકે દેવ લોકમાં. એટલેજ તો લોકો અમેરિકા જેવા દેવ લોકમાં જવા પડાપડી કરે છે. @16.00min. પ્રજા ગુમરાહ થતી હોય છે ત્યારે દુઃખી થતી હોય છે. ગુમરાહીના ઉદાહરણો. જીવનના માંર્ગનેજ ઊલટાવી નાખવામાં આવે એટલેકે જ્ઞાનના દ્વારા અજ્ઞાન, ધર્મના દ્વારા ધર્માભાષ તો કોઈ દિવસ પ્રજા સુખી ન થઇ શકે. અંધશ્રદ્ધા અને ભ્રમણાઓમાં નાખનારા મહારાજો વિશે. જર્મની, જાપાન, ઇઝંરાએલમાં આવા મહારાજો છે? @50.19.00min. ભજન – માનવ નડે છે માનવીને – શ્રી નારાયણ સ્વામી

 

વ્યક્તિવાદથી બ્રહ્મવાદ

listen – Side B
– સંત માર્ગ અને ઉપનિષદ માર્ગ. ઉપનિષદમાં વ્યક્તિવાદ નથી, પ્રકૃતિ વાદ નથી, દેવ વાદ છે પરંતુ તેનું સમીકરણ બ્રહ્મમાં થાય છે. વ્યક્તિ વાદ વિશે. નામ મારું લેવાનું, ભજન મારું કરવાનું, ફોટો મારો, પૂજા મારી, એને વ્યક્તિવાદ કહેવાય અને તે સૌ થી નીચી કક્ષાનો છે. માણસ જે જન્મે અને મરે છે, તે ઝાડ પરના પાંદડા બરાબર છે. ઉપનીષદો ઝાડને પકડાવે છે, પાંદડા પકડાવતા નથી. @6.00min. ભગવાન પહેલા હતા અને પછી ડાકોર આવ્યા, એ પૂરાણવાદ કહેવાય. ઉપનિષદનો જ્ઞાતા સમજેછે કે ડાકોરમાંયે તું છે, દ્વારિકામાંયે તું છે, મક્કામાં અને જેરુસલામમાંયે તુંજ છે, એક તું એક તું એમ કહેવું. (નરસિંહ મહેતા) એક ભગતની ભગવાન લેવા આવવા વિશેની વાત. @8.30min. ભગવાન કેવો છે? અને ક્યાં રહેતો હોય છે? @13.30min. ભગવાન કેવી રીતે રક્ષા કરેછે તેની એકસાચી બનેલી ઘટના. @18.10min. સ્વામીજીનો આંધ્રમાં (નક્ષલવાદથી) થયેલો અનુભવ. @26.38min. હાથીના પગમાં જેમ બધા પગ સમય જાય તેમ બ્રહ્મમાં બધા તત્વો સમાઈ જાય છે. @29.43min. પરમેશ્વર નિરાકાર, સાકાર અને ઉભયવાદ કેવી રીતે? @31.40min. સંતો જોડે નિરાકાર,સાકારની સાંભળવા જેવી વાત. વિચાર કરો તો, ચર્ચા કરો તો, અને ભૂલો સુધારવાની તૈયારી હોય તો ભૂલો સુધરે. @35.50min. ભગવાન સ્વરૂપથી નિરાકાર અને કલાથી સાકાર કેવી રીતે? @41.47min. ભજન, રામ સમર મન રામ સમરીલે, મન મોહન મૂરત તેરી પ્રભુ – શ્રી નારાયણ સ્વામી