[ આવનારા સ્વતંત્રતા દિવસ  ધ્યાનમાં રાખીને પ્રવચનો ની શ્રેણીમાં આપણે ઇતિહાસ અને છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપ ના પ્રવચનો માણ્યા. હવે માણીએ કમલાશંકર પંડ્યા (ચાણક્ય) વિશે વડોદરા માં કરેલું પ્રવચન. ગુણગ્રાહી બનીને આપણી ઉણપોને જાણીએ તો જ ‘વીરતા પરમો ધર્મ’ સાર્થક થઈ શકે. ]

listen – Side A

@Begin. શાસ્ત્રના ત્રણ ભેદ- ધર્મ શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, અને નીતિ શાસ્ત્ર.ધર્મ શાસ્ત્ર સમુહની બાહ્ય વ્યવસ્થા કરી આપે પરંતુ સંપ્રદાયો ધર્મની નહિ પણ પોતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાની વ્યવથા કરે.રાજ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા વિશે. @6.05Min. નાસ્તિક સજ્જન(Rationalist) સાથે પાપ-પૂણ્યની વ્યાખ્યા. નાસ્તિકોના મત પ્રમાણે પાપ જેવી કોઇ વસ્તુજ નથી તો પતિ પત્નીના સંબંધો કેવી રીતે ટકશે? જવાબમાં કહ્યું કે એતો અમારે ત્યાં છૂટ છે. @11.25Min. દર્શન શાસ્ત્ર – માણસની આંતરિક વ્યવસ્થાને ઠીક કરે છે. આસ્તિકતા કરતાં નાસ્તિકતા બહુ કઠીન છે કારણકે આસ્તિકતા જેવા નાસ્તિકતા પાસે સમાધાનો નથી, સાંભળો ઉદાહરણો. @19.00Min. બૌદ્ધોના સામે સૌથી વધુ ટક્કર લેનારા વિદ્વાન ઉદયનાચાર્ય જેમણે ઈશ્વરસિદ્ધિનું મોટું પુસ્તક લખેલું તે વિશે. @26.50Min. નીતિ શાસ્ત્ર, ખરો રાજકીય અર્થ, પોતાના બચાવ માટે યુક્તિઓ બતાવે તેનું નામ નીતિ. @32.00Min. ચાણક્યે લખ્યું છે કે જે સ્ત્રી હઠીલી અને વહેમીલી હોય  તે જરુર માર ખાવાની. કુટ નીતિ (રાજ નીતિ)નું ઉદાહરણ. @35.50Min. ચાણક્ય(વિષ્ણુદત્ત) ચરિત્ર ચાલુ.
listen – Side B

@Begin. ચાણક્ય ચરિત્ર ચાલુ.  ખુમારીથી જીવવું હોય તો, સ્વાવલંબી બનવું. ચંદ્રગુપ્તની મા મુરા વાળંદ અને તે નંદ રાજાની દાસી હતી. ચાણક્ય ધરતીપરનો વાસ્તવિક માણસ હતો. આદર્શવાદમાંથી ઢોંગ-પાખંડ ઊભું થતું હોય છે. @7.25Min. જરુર સાંભળો ચાણક્યની વિજય મેળવવાની મુત્સદ્દીગીરી, રાજનીતિ અને યુદ્ધનીતિ વિશે. ભારતમાં માઓવાદ કેવી રીતે આવ્યો? ભારતના ચાર પ્રકારના યુદ્ધો. @13.30Min. પૃથ્વીરાજનું ત્રણ લાખનું અને સાબુદ્દીનનું એક લાખનું સૈન્ય, છતાં હાર્યો. 17.40Min. ચાણ્ક્ય પછી બીજા ચાણ્ક્ય થયા હોય તો તે શિવાજી અને સરદાર પટેલ છે. @22.40Min.

 

દેશની આઝાદીને કેવી રીતે ટકાવવી? ચાણક્યને સમજી રાષ્ટ્ર્ના પ્રશ્નો ઊકેલીએ. @27.35Min. ધર્મની યુગ સાથે યાખ્યા. @40.30Min. દેશભક્તિ ગીતો.