[સ્વામીજીના પુસ્તક ‘મારાં અનુભવો’  અને ‘મારાં પૂર્વાશ્રમનાં સંસ્મરણો’ ની ઓડિઓ આવૃત્તિ માંથી. ]

Maaraa Anubhavo Prakaran 49 – 56 – listen

હરિજનોનો મંદિર પ્રવેશ-૧,૨ વિગેરે. આજે ભારતમાં ૨૦,૦૦૦ સંપ્રદાયો, પંથો અને મંડળો અસ્તિત્વ ધરાવે છે. જે પ્રજા પાસે સંયોજક કરતાં વિભાજક બળો વધારે હોય તે પ્રજા અવશ્ય દુર્બળ થાય છે. કોઇ પણ સમાજમાં કોઇ પણ વર્ણ કે વર્ગને જન્મજાત અપવિત્ર સાબિત કરવામાં આવે પછી તેની સામાજીક તથા ધાર્મિક અવનતિ નિશ્ચિત થઇ જતી હોય છે.

Maaraa Purvaasram-Naa Sansmarano Prakaran 10 – 13 – listen
GURU (ગુરુ) @14.00Min. ગુરુવાદની વિકૃતિ, કાન ફૂંકે અને કંઠી બાંધે તે ગુરુ. એમાં જ્ઞાનને કાંઇ લેવા-દેવા નહિં. પોતાનાજ વારસદારોને કાયમી ગુરુ બનાવી વંશ પૂજા શરુ કરી. કડક રીતે કોઇની વાત કે પ્રસાદ લેવો નહિ કે બીજા ભગવાનનું નામ લેવું નહિ અને સર્વસ્વ ગુરુને અર્પણ કરવાનો ઉપદેશ અપાવા માંડયો. વિધવા શિષ્યાઓને તન સમર્પણ કરી દેવા પ્રેરણા આપી. ગુરુલોકોએ એંઠુ ખવડાવવું, પગ ધોઈને પિવડાવવા, સ્નાન કરાવીને પાણી પિવડાવવું વગેરે, જેમાંથી મહારાજા લાયબલ કેસ થયો. @17.55min. બ્રહ્મચર્ય  મોટે ભાગના બ્રહ્મચારીઓના ચહેરા નિસ્તેજ અને ફિક્કા હોય છે. ડાચા બેસી ગયેલા ચિડિયા સ્વભાવના અને લાંબુ જીવતા નથી. આવું કેમ? વધુ આગળ સાંભળો…