ભારતીય યુધ્ધો નો ઈતિહાસ – ૨

['વાસ્તવિકતા' પુસ્તક માંથી સાભાર. ૧૫ મી ઓગસ્ટ ને ધ્યાન માં રાખી ને થોડીક ઈતિહાસ ની વાતો. ભાગ-૧, ભાગ-૨, ભાગ-૩ ]

તુર્કો પછી

પહેલાં આરબોએ સિંધ ઉપર સત્તા સ્થાપિત કરી અને પછી તુર્કોએ દિલ્હી ઉપર સત્તા સ્થાપિત કરી. તેઓ દિલ્હીથી બાકીના ભારતનાં જુદાં-જુદાં રજવાડાં ઉપર ચઢાઈ કરતા રહ્યા અને સીમા વધારતા રહ્યા. પણ (મરાઠા સિવાય) કોઈ હિન્દુ રજવાડાંએ દિલ્હી ઉપર હુમલો કર્યો હોય તેવું જણાયું નથી.

મારી દૃષ્ટિએ આ મુસ્લિમ સત્તાની સ્થાપનાથી ભારતને એક લાભ એ થયો કે તે પછી બહારની કોઈ જાતિઓ ભારત ઉપર ચઢી ન આવી. (જેમ પહેલાં શક-હૂણ વગેરે આવતા તેમ). તેમ છતાં મંગોલો ભારત ઉપર ચઢી આવ્યા. તે રાજ કરવા નહિ માત્ર લૂંટફાટ અને હત્યાઓ કરવા વિશ્વભરમાં ફરતા અને ધાડ પાડતા હતા. ચંગીઝ ખાંની પરંપરામાં તૈમૂર થયો.

1. ઈ.સ. 1396-97માં તૈમૂર ભારત ઉપર ચઢી આવ્યો. અનેક નગરો લૂંટતો બાળતો તે દિલ્હી પહોંચ્યો. દિલ્હીનો સુલતાન ભાગી ગયો. 27-12-1398ના રોજ તૈમૂરે દિલ્હી લૂંટ્યું. તૈમૂરના પ્રત્યેક તાતાર સૈનિકને 150-150 જેટલી ગુલામ સ્ત્રીઓ લૂંટમાં મળી. પાંચ દિવસ દિલ્હી રહી, બધું ખેદાનમેદાન કરીને તે મેરઠ પહોંચ્યો. મેરઠની પણ આવી જ દશા થઈ. ઘણી સ્ત્રીઓને ગુલામ બનાવી.

2. તૈમૂર મેરઠથી હરદ્વાર પહોંચ્યો. ત્યારે કુંભમેળો ભરાયો હતો. તેણે પૂરા કુંભમેળાના સાધુ-સંતોને કાપી નાખ્યા. એક મહિના સુધી આજુબાજુનો પ્રદેશ લૂંટ્યો. અહીંથી પ્રત્યેક તાતારી સૈનિકને 20-20 સ્ત્રીઓ ગુલામ તરીકે મળી. અને અસંખ્ય ગાયો પકડી.

3. તૈમૂરે કાશ્મીર લૂંટ્યું. પછી જમ્મુના રાજાને હરાવ્યો. બંદી બનાવ્યો. તેણે ઇસ્લામ સ્વીકાર્યો એટલે તેને મુક્ત કર્યો. તે પછી સ્વદેશ ચાલ્યો ગયો.
(more…)