ભારતીય યુધ્ધો નો ઈતિહાસ – ૩

['વાસ્તવિકતા' પુસ્તક માંથી સાભાર. ૧૫ મી ઓગસ્ટ ને ધ્યાન માં રાખી ને થોડીક ઈતિહાસ ની વાતો. ભાગ-૧, ભાગ-૨, ભાગ-૩ ]

આઝાદી પછીનાં યુદ્ધો

 

આઝાદીની સાથે જ આપણને ગાંધીચિંતન પણ વારસામાં મળ્યું. આ ચિંતનનો ત્યારે ભારે પ્રભાવ હતો. તેથી વર્ષો સુધી આપણું અર્થતંત્ર, રક્ષાતંત્ર, ગૃહરક્ષા વગેરે ગાંધીવિચાર પ્રમાણે ચાલતાં રહ્યાં. ક્રમે ક્રમે શાસકોને સમજાવા લાગ્યું કે આ વિચારોથી રાષ્ટ્રના પાયાના પ્રશ્નો ઉકેલી શકાતા નથી, તેથી ગાંધીવિચારોથી શાસકો દૂર હટવા લાગ્યા. તોપણ તેની પ્રેરણા અને પકડ તો બની જ રહી. ગાંધીવિચારો-માં આક્રમણ તો હતું જ નહિ, પ્રત્યાક્રમણ પણ નહોતું. આપણે અહિંસા-લડતથી આઝાદી મેળવી હતી અને તેનો ભારે નશો ગાંધીવાદીઓને હતો. પણ નિઝામ, જૂનાગઢ, કાશ્મીર, ગોવા વગેરે સ્થળે અહિંસા જરાય ન ચાલી. સેના જ કામમાં આવી. એનો અર્થ એવો થયો કે અહિંસા માત્ર અંગ્રેજો સામે જ ચાલી શકે છે. બીજે નહિ, ગાંધીજીએ હિન્દ સ્વરાજમાં જે લખ્યું છે તેની થોડી ઝલક જોઈએ.

1. ‘દારૂગોળો એ હિન્દને સદે તેવી વસ્તુ નથી.’

2. ‘ગાયની રક્ષા કરવાનો ઉપાય એક જ છે, મારે મારા મુસલમાન ભાઈની પાસે હાથ જોડવા ને તેને દેશની ખાતર ગાયને ઉગારવા સમજાવવું. જો તે ન સમજે તો ગાયને જતી કરવી… મને એ ગાયની ઉપર અત્યંત દયા આવતી હોય તો મારે મારા પ્રાણ દેવા પણ કોઈ મુસલમાનનો પ્રાણ લેવો નહિ.’ (હિન્દ સ્વરાજ, પૃ. 27)

(more…)