ભારતીય યુધ્ધો નો ઈતિહાસ – ૧

['વાસ્તવિકતા' પુસ્તક માંથી સાભાર. ૧૫ મી ઓગસ્ટ ને ધ્યાન માં રાખી ને થોડીક ઈતિહાસ ની વાતો. ભાગ-૧, ભાગ-૨]

1. રાષ્ટ્રની રક્ષા માટે યુદ્ધ અનિવાર્ય છે. બધી મંત્રણાઓ કર્યા પછી પણ જ્યારે શત્રુપક્ષ સમાધાન માટે તૈયાર ન થાય ત્યારે યુદ્ધ જ બાકી રહે છે. જો તે ન કરવામાં આવે તો રાષ્ટ્રનું રક્ષણ થઈ શકતું નથી. મંત્રણાઓ પણ તેની સફળ થતી હોય છે જેનામાં યુદ્ધ કરવાની અને જીતવાની ક્ષમતા હોય.

2. રાષ્ટ્રની રક્ષા ત્રણ રીતે થઈ શકે છે :
1. જ્યાંથી આક્રમણ થવાનું હોય તેના ઉપર પ્રથમથી જ આક્રમણ કરી દેવું. તેને તેની ભૂમિ ઉપર જ લડવા બાધ્ય કરવો. જેથી આપણી ભૂમિ યુદ્ધક્ષેત્રથી બચી જાય.
2. શત્રુપક્ષ તરફથી આક્રમણ થયા પછી પ્રત્યાક્રમણ કરવું.
3. આ બન્નેમાંથી એક પણ ન કરી શકાય તો તો શત્રુપક્ષની શરતો પ્રમાણે સંધિ કરી લેવી અથવા હારી જવું.

3. આપણે એક વાર જ વિદેશી શત્રુ ઉપર આક્રમણ કર્યું હતું. શ્રી રામે, શ્રીલંકા ઉપર પૂરી તૈયારી કરીને આક્રમણ કર્યું હતું. અને સીતાજીને લઈ આવ્યા હતા. મને લાગે છે કે આ પહેલું અને છેલ્લું આક્રમણ હતું. તે પછી પૂરી તૈયારી કરીને પરદેશ ઉપર આક્રમણ કર્યું હોય તેવું દેખાતું નથી. આવો, જરા વિગતથી ઇતિહાસ જોઈએ.
(more…)