[ સ્વામીજી પોતે ગાંધી પ્રેમી છે, ગાંધીવાદી નથી. ગાંધીજી સાથે ઘણી બાબતોમાં તેમને મતભેદો છે છતાં તેઓ એવું માને છે કે “પૂર્ણ આધ્યાત્મિકતાનું સાચું પ્રતિક કોઇનામાં, આજ સુધીમાં મને દેખાયું હોય તો તે છે મહાત્મા ગાંધીજી.”  ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય,  પરંતુ આ એક સાચો માણસ હતો. તે ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. ગાંધી જયંતી નિમિતે માણીએ સ્વામીજીના ગાંધીજી વિશેના પ્રવચનો. ]

 

મહાપુરૂષ કોણ? – અમદાવાદ, In Memory of Chhaganbapa

listen – Side A

@3.25Min. મહાપુરૂષ કોને કહેવાય? વેદાંતિનું નિષ્ક્રિયપણા નુ ઉદાહરણ. @11.10Min. ફીઝીમાં બહુમતી ભારતીયોને કેમ ભગાડ્યા?  જે લોકોએ પ્રશ્નો ઉકેલવાનું દર્શન આપ્યું તેને પથરા પડ્યા અને જે લોકોએ પ્રજાને ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં પ્રજાને લૂંટવાનું કામ કર્યું, તે લોકો ભગવાન બની ગયા. સ્વામી વિવેકાનંદ વિશે. @16.20Min. ગાંધીજી વિગેરે વિલાયત ગયા તેમાંથી આઝાદીના તણખા ઝર્યા. શ્રી અરવિંદ તથા વિવેકાનંદને મળવાના ગાંધીજીના નિષ્ફળ પ્રયત્નો. @22.40Min. ચાર મહત્વના ક્ષેત્રોમાં પ્રથમ રાજકીય ક્ષેત્ર વિશે. @27.00Min. “તમને જીવવા દે તેને જીવવા દો.” @35.00Min. હિંસા-અહિંસા વિશે. ગુરૂ ગોવિંદ સિંહ વિશે. @37.55Min.  ગાંધીજી અને મહેરબાબા.

listen – Side B

@Begin. પાટીદાર સમાજ અને છગન બાપા. @7.00Min.  જેમાંથી નિષ્ક્રિયતા અને કર્તવ્ય છોડી દેવાની વૃત્તિ થાય તે વાંઝિયો ત્યાગ છે. @8.00Min. મારી બાયપાસ સર્જરી અને શીખ ડોક્ટર જોડે વાર્તાલાપ. @15.15Min. જૈનોના એક ઊંચી કક્ષાના સાધુ આનંદ ઘન વિશે. @20.35Min. મોક્ષની ધૂનમાં નીકળી પડેલા છગનબાપાને એક સંત મહાત્માએ સમાજના કામો કરવા પાછા મોકલ્યા. છગનબાપાએ નાની પ્રજાને મોટી બનાવી. છગનબાપા એ ખરેખર મહાપુરૂષ છે. @33.00Min. ગાંધીજીના વિચારો સાથે મારે મતભેદ હોવા છતાં હું ગાંધીજીને મહાપુરૂષ માનું છું કે જેણે જીવનના બધા પ્રશ્નોનો સ્પર્શ કર્યો.  @35.00Min. ભજન – માનવ નડે છે માનવીને મોટો થયા પછીશ્રી નારાયણ સ્વામી, ઉલ્લેખાયેલું ફિલ્મી ગીત – હે મા તેરી સૂરતસે અલગ…

to download ‘right-click’ on the link and select ‘save-link-as’
[list type=”arrow2″]
મહાપુરૂષ કોણ?
[/list]