સુખી સંસારના પરિબળો

સુખી સંસારના પરિબળો – સુરત

Side B –

– સેજળીયા ગામ પાટીદાર સમાજ સ્નેહ મિલન – સંસાર ચાર રીતે ચાલે છે, આ ચારમાંથી એક પણ કારણ ન હોય તો ચાલે નહિ. સૌથી પહેલું તત્વ છે પૈસો. પૈસો પેટ્રોલ છે. સારામાં સારી ગાડી હોય પણ પેટ્રોલ ન હોય તો એક ફૂટ પણ ન ચાલે.માણસ સારામાં સારો હોય અને પૈસા વિનાનો હોય તો સંસારથી ફેંકાય જાય, એટલે ધર્મનું એક તત્વ છે પૈસો અને પૈસો કમાવોજ જોઈએ. @4.54min. શક્તિ દુષણ વિનાની હોતી નથી. પૈસો કમાવો, વાપરવો એ પાપ નથી પણ પૈસાના દોષો ઊભા કરવા એ પાપ છે. શ્રી કૃષ્ણે સોનાની દ્વારિકા ઊભી કરી પણ એક બહુ મોટું દુષણ ઊભું થઇ ગયું. પૈસાદાર બનો અને વ્યસન જુગારથી બચો એ કઠીન કામ છે. બચી ક્યારે શકો કે તમારા ઘરમાં ધાર્મિક વાતાવરણ હોય. (more…)