પ્રેમ કદી બંધન વિનાનો હોતો જ નથી. પોતાનું બંધન બીજી વ્યક્તિ તથા બીજી વ્યક્તિનું બંધન પોતે સુખપૂર્વક સ્વીકારે ત્યારે પ્રેમ નિષ્પન્ન થતો હોય છે તથા ટકતો હોય છે. મુક્તપ્રેમ હોય શકે જ નહિ. હા, મુક્ત વાસના હોઈ શકે. જ્યાં તરસ લાગી ત્યાં પાણી પી લીધું અને જ્યાં ભુખ લાગી ત્યાં જે મળ્યું તે અને જેવું મળ્યું તેવું જમી લીધું – આ ક્ષણિક સંબંધો છે. ચંચળ અને સતત પરિવર્તન પામતા સંબંધો છે, આમાં મુક્તિ નથી પણ રોજની પરાધીનતા, અસ્થિરતા, અનિશ્ચિતતા અને અવિશ્વાસનીયતા છે.
જીવનનું સૌથી મોટું સુખ સ્થિર વિશ્વાસ અને વફાદારી છે. વફાદારી આપીને વફાદારી પામનાર નિશ્ચીંત જીવન જીવી શકતો હોય છે. પ્રેમનું બંધન આવી ભૂમિકાનું નિર્માણ કરનારું હોય છે.
જેમ પ્રેમ અને અહંકારનો કડી મેળ નથી થઇ શકતો તેમ સેવા તથા અહંકારનો પણ કદી મેળ નથી થઇ શકતો. અહંકાર સર્વથા શૂન્ય કક્ષાએ પહોંચે ત્યારે જ પ્રેમ પ્રગટે છે.
અહંકારી કદી પ્રેમ કરી શકતો નથી, તેમ કદી કોઈનો પ્રેમ મેળવી શકતો નથી. સ્વ-શૂન્યતામાં પ્રેમ તત્વ છુપાયું છે. અહંકારી તેને કદી ખોળી ના શકે. સ્વયંને ખાખ બનાવનાર જ તેને ખોળે ને પામે.
Related posts:
જીવનનું લક્ષ્ય [ સ્વામીજી ની નવા પુસ્તક વાસ્તવિકતા માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે.] ૧. જીવનનું લક્ષ્ય સૂખી થવાનૂં છે. ૨. સૂખનું...
કામ [ સ્વામીજી ની નવા પુસ્તક વાસ્તવિકતા માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે.] ૧. કામ ઈશ્વરીય રચના છે. હેતુપૂર્ણ છે. તેના...
શિવ એટલે શું? [ સ્વામીજી ના પુસ્તક શિવતત્વ નિર્દેશ માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે. ] પરમકલ્યાણનું નામ શિવ છે. પરમાત્મા માત્ર અસ્તિત્વરૂપ...
Leave A Comment