શીખ ધર્મ

મારા મનમાં પણ છેલ્લાં સાઠ વર્ષથી એવી એક શોધ હતી કે કોણ એવો ધર્મગુરુ છે જેનામાં ઓછામાં ઓછા આટલા ગુણો તો હોય જ. હું શોધતો રહ્યો. પહેલાં એ ગુણોને જાણીએ.
1. જે ઈશ્વરવાદી હોય અનીશ્વરવાદી નાસ્તિક ન હોય.

2. જે પોતે ઈશ્વર કે ભગવાન થઈને સ્વયં પૂજાતો ન હોય. પણ ભક્ત થઈને ભક્તિ કરતો હોય.

3. જે પત્નીત્યાગી ન હોય, પણ પત્નીધારી હોય.

4. જે પરિવારત્યાગી ન હોય, પણ પરિવાર સાથે રહેતો હોય.

5. જે સંસારત્યાગી ન હોય.

6. જે કર્તવ્યત્યાગી ન હોય.

7. જે શસ્ત્રત્યાગી ન હોય પણ શસ્ત્રધારી હોય અને લોકોને પણ શસ્ત્ર ધારણ કરાવતો હોય.

8. જે કાયરતાને મખમલી અંચળામાં ઢાંકનારો અહિંસાવાદી ન હોય પણ વીરતાવાદી હોય.

(more…)