શિવાજી મહારાજ – સમુદ્રી યુધ્ધો

shivaji-ni-shauryagathaરાષ્ટ્રની સર્વોચ્ચ મહત્તા તો તેની સુરક્ષા-વ્યવસ્થાથી જ કાઢી શકાય. રાષ્ટ્ર ભલે દરિદ્ર હોય, ભલે નિરક્ષર હોય, પછી પછાત હોય પણ તે સુરક્ષિત તો છે ને? તેના ઉપર કોઈ ડોળો તો નથી નાખી શકતું, તેની સીમા તો સુરક્ષિત છે ને? તો તે મહાન છે. નેપાળનો જ દાખલો લ્યો. નેપાળ સમૃદ્ધ નથી, સુશિક્ષિત નથી. વૈજ્ઞાનિક રીતે પછાત પણ છે. તોપણ તે કદી કોઈનું ગુલામ થયું નથી. જેવું તેવું પણ તેણે પોતાની આઝાદી ટકાવી રાખી છે. આ તેની ઓછી મહત્તા ન કહેવાય.

ભારત માટે આપણે ગમે તેવાં બણગાં ફૂંકીએ પણ તેની સીમા કદી સુરક્ષિત ન રહી. છેક પ્રાચીનકાળથી હુમલા થતા જ રહ્યા અને તે પણ સફળ પરિણામદાયી નીવડતા રહ્યા. દૂરદૂરની અને નજીકની પ્રજા વારંવાર ચઢી આવતી. જીતતી, રાજ્ય કરતી અને અહીં જ રહી જતી. ખરી મુશ્કેલી મુસ્લિમોના હુમલાથી થઈ. તે માત્ર તલવાર લઈને જ ન આવ્યા, ધર્મ પણ સાથે લાવ્યા. તેમનું આક્રમણ માત્ર ભૂમિ પૂરતું જ ન રહ્યું, ધાર્મિક પણ રહ્યું. જે રીતે બને તે રીતે અહીંની પ્રજાને ઇસ્લામ તરફ વાળવાનું પણ આક્રમણ હતું. ભૂમિ વિજયથી કાલિક ફાયદો હતો પણ ધર્મવિજયથી તો સ્થાયી ફાયદો હતો. એકતરફ ભારતમાં પ્રચલિત ધર્મથી લોકોનો એક ભાગ અસંતુષ્ટ હતો તો બીજી તરફ ઇસ્લામ સ્વીકારવાના ઘણા ફાયદા હતા. એટલે ક્રમે ક્રમે લોકો એ તરફ વળ્યા. ધર્માંતરણથી પોતાને મોટી હાનિ થઈ રહી છે તેવું ભાન હિન્દુ ધર્મના મોટા ધર્માચાર્યોને હતું જ નહિ. તેથી સંખ્યારક્ષાનો કાંઈ ઉપાય જ ન કર્યો. સંખ્યાવૃદ્ધિની તો શક્યતા જ ન હતી. આ પરિસ્થિતિ હજી આજે પણ ચાલુ જ છે. મોટાં મોટાં મંદિરો, મહાલયો બંધાય છે. પણ સંખ્યા તીવ્રગતિથી ઘટી રહી છે. તે તરફ ધ્યાન જતું નથી અને કદાચ જાય તો કશું કરી શકાતું નથી. આ કરુણ સ્થિતિ ભવિષ્યની દુર્દશાની નિશાની જ કહેવાય.

(more…)