લાગણી

[ સ્વામીજી ની નવા પુસ્તક વાસ્તવિકતા માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે.]

વીતરાગ થવાનો અર્થ લાગણીહીન થવાનો હોય તો-
૧. વીતરાગ થવા કરતાં લાગણીશીલ થવું વધુ ઉત્તમ છે.
૨. વીતરાગ થવું એટલે લાગણીહીન થવું. લાગણીહીનતા એટલે જીવનહીનતા, લાગણી નથી તો
જીવન નથી.
૩. લાગણીથી હરખ પેદા થાય છે. હરખથી માણસને જીવન ભર્યુંભર્યું લાગે છે.
૪. તિજોરી પૈસાથી ભરાય છે, પેટ અનાજથી ભરાય છે, મગજ જ્ઞાનથી ભરાય છે અને હૃદય લાગણીઓથી ભરાય છે.
(more…)