ધર્મ, દર્શન અને વિજ્ઞાન
[ આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા’ માંથી કરવામાં આવ્યું છે.]
૧. ધર્મ, દર્શન અને વિજ્ઞાન ત્રણે અલગઅલગ તત્વો છે પણ એકબીજાનાં પૂરક અને બાધક પણ છે.
૨. ધર્મ: જીવનવ્યવસ્થા કરે છે. તે આચારપ્રધાન હોય છે. તે સર્વજન માટે હોય છે અને એક હોય છે.
૩. દર્શન: વૈચારિક જિજ્ઞાશાનું સમાધાન કરે છે. તે વૈયક્તિક હોય છે અને અનેક હોય છે.