ચાણક્યની રાજનીતિ – શ્લોક ૨૧
श्रुतवन्तमुपधाशुद्धं मन्त्रिणं कुर्वीत || ૨૧ ||
જે ક્ષોત્રિય હોય અને ગુપ્ત પરીક્ષામાં ઉત્તીર્ણ થયો હોય તેવી કુશળ વ્યક્તિને જ મંત્રી બનાવવી.
રાજાએ રાગવશ પોતાનાં સગાં કે સ્નેહીજનોને મંત્રી ન બનાવવાં તે વાત કહ્યા પછી હવે કેવી વ્યક્તિને મંત્રી બનાવવી તે કહે છે.
જેને શાસ્ત્રોનું બહોળું જ્ઞાન હોય – અહીં શાસ્ત્ર શબ્દનો અર્થ તે-તે વિષયોનું જ્ઞાન. જેમ કે કોઈને યુદ્ધમંત્રી કે રક્ષામંત્રી બનાવવો છે, તેનામાં યુદ્ધ-શાસ્ત્રનું ઊંડાણભર્યું જ્ઞાન હોવું જરૂરી છે. પુસ્તકો વાંચી જવા-માત્રથી પૂરું જ્ઞાન થતું નથી. એટલે ક્ષોત્રિય શબ્દનો પ્રયોગ કરાયો છે. તેણે અનેક અનુભવી-જ્ઞાની વ્યક્તિઓ પાસેથી તે-તે વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન સાંભળ્યું હોય. પુસ્તકો વાંચીને થયેલા જ્ઞાનને ચર્ચાના દ્વારા રિફાઈન કરવું જરૂરી હોય છે. માત્ર પુસ્તકિયું જ્ઞાન વ્યક્તિને વેદિયા બનાવે છે, એટલે બહોળી ચર્ચા-વિચારણા અને અનુભવો કરવા પણ જરૂરી હોય છે. આવી વ્યક્તિને જ તે-તે મહત્વના પદની જવાબદારી આપવી જોઈએ. (more…)