ધર્મ, રૂઢીઓ, આવેગો, લાગણીઓ – ૫

[ સનાતન ધર્મ એટલે શું? માણસે બનાવેલા શાસ્ત્રીય ધર્મ(સંપ્રદાયો), કુદરતે મૂકેલા આવેગો, લાગણીઓ વિશે વિસ્તારથી સમજાવતો, ચિંતનથી ભરેલા આ લેખને આપણે ચાર-પાંચ ભાગમાં માણીશું. પહેલા ભાગમાં કુદરતી ધર્મ અને બીજા ભાગમાં આવેગો, લાગણીઓ અને મનુષ્ય બાકીની સૃષ્ટિ કરતાં કેવી રીતે જુદો પડે છે ? ત્રીજા ભાગ માં આપણે શાસ્ત્રીય ધર્મ એટલે શું માણ્યું. ચોથા ભાગમાં આપણે શાસ્ત્રીય ધર્મના ત્રણ વિભાગો: માન્યતા, આચારો અને કથાઓ એટલે શું? માણ્યું. હવે આ પાંચમાં (અને છેલ્લા) ભાગમાં આપણે રૂઢીઓ અને ધર્મની સાર્થકતા-સફળતા શેમાં? વિશે સ્વામીજીના વિચારો માણીશું. આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘ઉપસંહાર‘ માંથી કરવામાં આવ્યું છે. ]

રૂઢીઓ

ધર્મનું ત્રીજું સોપાન રૂઢીઓ છે. કુદરતી વ્યવસ્થા પછી શાસ્ત્રીય વ્યવસ્થા કરતાં પણ વધુ પકડ જમાવતું ત્રીજું તત્વ રૂઢીઓ પ્રત્યેક પરંપરામાં થોડીઘણી તો હોય જ છે. જન્મથી માંડીને મૃત્યુ પર્યંત થનારા રીતી-રિવાજો મોટા ભાગે રૂઢીઓ કહેવાય છે.જેમ કે બાળક જન્મે ત્યારે થાળી વગાડવી, સાકર વહેંચવી, તેનું નામ પાડવું, લગ્ન વખતે સાસુ દ્વારા વરનું પોંખાવું, નાક પકડવું કે બીજા રીતી-રિવાજો, થાપા લગાવવા, મામા દ્વારા કન્યાને તેડીને ચોરીમાં લાવવી, ખાવું-ખવડાવવું વગેરે રૂઢીઓ, જે પોતપોતાના રીતિરિવાજો તરીકે ઓળખાય છે, તે આપણા જીવનમાં કામ કરતી હોય છે. ઘણા લોકો તેને ડોશીશાસ્ત્ર પણ કહે છે. એક કાશીશાસ્ત્ર અને બીજું ડોશીશાસ્ત્ર. ઘણી વાર કાશીશાસ્ત્ર કરતાં ડોશીશાસ્ત્રની પકડ વધારે જોવા મળે છે. (more…)