રાજકીય વ્યવસ્થા

[ વિજ્ઞાન ના આગમનથી પ્રજાની જાગૃતિ થાય છે તે આપણે અત્યારે ભારતમાં અનુભવી રહ્યાં છીએ. રાજકીય વ્યવસ્થા કેવી હોવી જોઈએ એના ઉપર સ્વામીજીના વિચારો માણીએ. આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા‘ માંથી કરવામાં આવ્યું છે. ]

વ્યક્તિ તથા પ્રજાને સુખ-દુઃખમાં મહત્વનો ભાગ રાજવ્યવસ્થા ભજવતી હોય છે. રાજા વિના અરાજકતા આવી જતી હોય છે. અરાજકતાથી માત્સ્યન્યાય થતો હોય છે. અર્થાત મોટું માછલું નાં માછલાને ગળી જાય તેમ બળવાન દુર્બળનું શોષણ કરતો હોય છે. બળિયાના બે ભાગ થઇ જતા હોય છે. એટલે રાજવ્યવસ્થા સારી હોય તો જ પ્રજા સુખી થાય. સારી રાજવ્યવસ્થાનાં આટલાં લક્ષણો છે.
૧. પ્રજા સુરક્ષિત હોય.
૨. પ્રજા સમૃદ્ધ હોય.
૩. પ્રજા વૈચારિક મુક્તિ અનુભવતી હોય.
૪. પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા હોય. (more…)