સંસાર રામાયણ – ૪
સમજ અને ગેર-સમજ – દંતાલી આશ્રમ
Side A –
– સમજ એટલે કોઈપણ વસ્તુને સત્ય સ્વરૂપે જાણવી. ગેર સમજ એટલે કોઈપણ વાસ્તુને ઊલટી રીતે, ખોટી રીતે સમજવી. ગેર સમજના કારણે જેટલા ઝગડા, કલેશ, કંકાશ થતા હોય છે એટલા સમજના દ્વારા થતા નથી. ગેર સમજને રોકી શકાય. તમારા મિત્રો, સંબંધી, સગાંઓ એમના સંબંધી જે કઈ વાતો કરો તો તેના રૂબરૂ કરવાની, પાછળથી સાંભળેલી વાત એક પક્ષીય કે ખોટી પણ હોય, કારણકે સંભળાવનાર માણસ હંમેશા પોતાના પક્ષને મોટો કરીને બતાવતો હોય છે અને સામેના પક્ષને ખોટો કરીને બતાવતો હોય છે. ડાહ્યો માણસ બન્ને પક્ષની વાતો સાભળીને નિર્ણય કરે. ઘણીવાર એવું બને કે પ્રત્યક્ષ જોયેલી વાત પણ ખોટી હોય. @4.44min. જૈન મુનિનું ગેર સમજનું ઉદાહરણ સાંભળો.@9.09min. ગેર સમજથી બાપને મારી નાંખવા તૈયાર થયેલો રાજસ્થાનમાં ભીનમાળમાં થયેલા માઘ કવિનું ઉદાહરણ જરૂર સાંભળો. કહેવાય છે કે કાવ્યની ઉપમા કાળીદાસની, અર્થ ગૌરવ-ગાંભિર્ય- ઊંડાણ ભાર્વીનું, પદની લાલિતતા દંડી કવિની અને આ ત્રણે ગુણો એકી સાથે જોવા હોય તો તે કવિ માઘમાં. @23.04min. “પરદેશ જમાઈ તે સુવર્ણ તુલ્ય, દેશ જમાઈ તે ચાંદી તુલ્ય, ગામ જમાઈ તે બ્રાહ્મણ તુલ્ય અને ઘર જમાઈ તે ટાંકણ તુલ્ય” સ્વમાન જ્યારે પૈસા સાથે સંધિ કરે ત્યારે પૈસો જીતે અને સ્વમાન હારે. પ્રત્યેક પત્ની દરિદ્ર અવસ્થામાં પતિનું માથું ખાતી હોય છે. (more…)