ભગવદ ગીતા – ૧૦

listen – Side A

શ્રીમદ ભગવદ ગીતા એ જીવનને દિશા બતાવનારું એક અદભૂત શાસ્ત્ર છે. જો કોઈપણ ગ્રંથ કે શસ્ત્રનો સંબંધ જીવન સાથે ન હોય તો તે કોઈનું કલ્યાણ ન કરી શકે. @3.50min. જીવનના ચાર ભેદ છે. તમને શું મળ્યું? જીવન એક સંગીત છે. સંગીત આપનારનો આનંદ શ્રોતા છે. વિવેકાનંદની કથામાં એક ડોસીની ઊંઘ વિશે. @8.00min. “या निशा सर्वभूतानां ……पश्यतो मुने:….(२-६९). @11.17min. જીવન એક ભાર છે, ત્રાસ છે. માણસ બહાર નથી થાકતો પરંતુ ઘરમાં થાકી જાય છે. ભગવદ ગીતા એક સંગીત છે એટલે એનું નામ ગીતા છે. @16.13min. જો એ સંગીતની સાધના ન કરી શકાય તો જીવન એક બોજ છે. @18.00min. સ્વાધ્યાય પરિવાર – એનો અર્થજ એ છે કે તમે કુટુંબનાં માણસો ભેગા થાવ અને જીવનના માર્ગ પર એક સાથે ચાલો. પરંતુ એનો અર્થ એ નથી કે તમે ખાલી ગ્રુપ કરીને એક નવો વાડો ઊભો કરો, એક નવી વ્યક્તિ પૂજા ઊભી કરો અને પછી બીજા માટે એલર્જી ઊભી કરો, તો જે દોષો દૂર કરવાના હતા તે ફરી પાછા આવી ગયા સમજો..એક ઓળખીતા સાધુની વાત. વ્યક્તિ પૂજાથી હિંદુ પ્રજા તો બરબાદ થઇ ગઈ. તમારી પાસે એક સરસ મઝાનું વર્ષો જુનું ઝાડ છે પરંતુ તમે પાંદડા પકડનારી પ્રજા થઇ. ભગવદ ગીતા થડ પકડાવે છે. @21.12min. ગંગા અને નાળાનું ઉદાહરણ.આખી ગીતા વાંચી જજો અને શોધી કાઢજો કે ઊભું તિલક કરવું કે આડું કરવું? તપ વિનાનું જીવન હોયજ નહિ. તપ નથી તો સુખ નથી. @25.13min. એક બ્રાહ્મણની (આત્મદેવ) વાત. સંતાન વિનાનું જીવન ઝેર ઝેર થઇ ગયું. @૨૮.૩૪મિન. કલકતાનો એક સાભળવા જેવો અનુભવ. આપઘાત કરવાનો સમય ચૂકવવાથી એક કુટુંબ બચ્યું. @36.20min. स कृत्वा राजसं….लभेत…(१८-८) જે લોકોને દેખાડવા માટેનો ત્યાગ છે તે સ્થુળ ત્યાગને જોઇને પ્રભાવિત ન થશો. સાચો ત્યાગ તો ગાંધીજીનો છે. સંત ગાળગે બુઆ વિશે.કરોડોનું ટ્રસ્ટ હોવા છતાં પોતાની દીકરીને ૪૦ રૂપિયાની મદદ ન કરી. પોતાના ફોટાઓ ફડાવી નાંખ્યા અને કોઈએ પોતાની મૂર્તિ બનાવેલી તે જાતે જઈને અથોડાથી તોડી નાખી. માણસનું મૂલ્ય મૃત્યુ પછી થતું હોય છે. જીવતા માણસનો ઈતિહાસ ન હોય, મૂર્તિ ન હોય પણ બિરદાવલી હોય. @44.54min. સુરતમાં એક વાણીયા સજ્જનની સાંભળવા જેવી વાત, પોતાના છોકરાઓને સમજાવવાથી આવેલું શુભ પરિણામ. @48.58min. ભાગવતની ઉત્થાનીકા ચાલુ. (more…)