ગાંધર્વ વેદ-૧

વેદ, સામ વેદ

[ગાંધર્વ ઉપવેદ] સાહિત્ય.

ગાંધર્વ વેદ કહે છે કે લલિત કળામાં રસ રાખો, તમે થોડું સંગીત જાણો. તમને ગાતાં નહિ આવડે તો કંઈ નહિ પણ સાંભળી જાણો. થોડો ટાઇમ કાઢીને તમે સંગીત સાંભળો, થોડું સાહિત્ય વાંચો, કંઈક કલામાં રસ રાખો. ભર્તુહરીએ લખ્યું છે કે: “संगीतसाहित्य विहीन साक्षात् पशु: पुच्छ विषाण हित.સંગીત સાહિત્ય વિનાનો માણસ સક્ષાત પુંછડા અને શીંગડા વિનાનો બળદ છે.

listen – Side A
(વેદોની પ્રેરણા) – NEW JERSEY (ન્યુ જર્સી ), USA – નાવના ઉદાહરણથી હિંદુ ધર્મનીઅસ્પષ્ટતા વિશે સમજણ. @6.20min. આપણા શાસ્ત્રોનું નામ વેદો છે. લોકો સુધી કેમ ન પહોંચ્યા અને તેનું પરિણામ સાંભળો. @12.06min. જેના હાથમાં સત્તા હતી તેમણેવેદો પર હક્ક કરી લીધો.અને સામાન્ય પ્રજા, પોતાના મૂળ શાસ્ત્રો વેદોથી વંચિત રહી ગઈ. @14.10min. સિદ્ધપુરમાં ગંગા વાડીમાં એક મહિનાનું પ્રવચન અને સ્વામીજીના આગ્રહથી હરિજનોનો પ્રવેશ. @18.15min. ચાર વેદો અને તેના ચાર ઉપવેદો વિશે. આ ચાર ઉપવેદો જીવનના ચાર મોટા પ્રશ્નો ઉકેલવા માટે છે. ચાર વેદો: ઋગવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. અનુક્રમે ચાર ઉપવેદ: ધનુર્વેદ, યજુર્વેદ, અથર્વેદ, ગાંધર્વવેદ. ધનુર્વેદની રચના વિશ્વામિત્રે કરી. એમાં લખ્યું છે કે, પોતાની સુરક્ષા રાખવા માટે દુશ્મન કરતાં બમણું સૈન્ય અને ચડિયાતાં શસ્ત્રો રાખો. અમેરિકાનું ઉગાહરણ. સમૃદ્ધિ હોય અને સુરક્ષાની વ્યવસ્થા ન હોય તો તમારી સમૃદ્ધિ તમારીજ દુશ્મન થઇ જાય. ભિખારીને કોઈ લુંટતું નથી. આપણે ધનુંર્વેદનો ત્યાગ કર્યો એટલે ઇતિહાસે તમારો ત્યાગ કર્યો. @26.30min. શીખ પ્રજાને ગુરુ ગોવિંદસિંહ સુકાની મળ્યા એટલે દુનિયાની બહાદુર પ્રજા બની. @30.03min. અમદાવાદમાં મહોલ્લાના મહોલ્લા કેમ ખાલી થાય છે? આ વેદ ભગવાનનો સંદેશો જીવનમાં નથી ઉતાર્યો તેનું પરિણામ છે. @38.02min.રામકૃષ્ણે સ્વામી વિવેકાનંદને સક્રિય વેદાંતના ત્રણ રૂપો બતાવ્યા ભૂખ્યાને રોટલો આપ, રોગીને દવા આપ અને અજ્ઞાનીને જ્ઞાન આપ. “न हि ग्नानेन….विन्दति…..(४-३८) @42.30min. એક શેઠના ઉદાહરણ સાથે ધર્મગુરુની સરખામણી. વેદ ભગવાન ગાંઠો પડતા નથી પણ ગાંઠો ઉકેલે છે. @46.20min. વેદ નારાયણ બહુ સ્પષ્ટ છે. રામાયણનું દ્રષ્ટાંત. (more…)