શ્રી કૃષ્ણ ચરિત્ર – ૬
[ શ્રી કૃષ્ણ લીલા રહસ્ય(પુસ્તક) – અર્પણ – હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ, રૂપકો તથા લીલાઓનું અધ્યાત્મિક અર્થઘટન કરી હિંદુ પ્રજાને એકેશ્વરવાદ તરફ દોરવા અને એ રીતે પ્રચલિત અવ્યવસ્થા, વિસગતિ તથા વિસંવાદો દૂર કરવા જેમણે પ્રયત્નો કર્યા છે, અને કરશે તે સૌ મહાનુભાવોને સાદર – સપ્રેમ સમર્પિત. – સ્વામી સચ્ચિદાનંદ.
શ્રીમદ ભાગવતની અંદર આવેલી ભગવાન કૃષ્ણની લીલાઓ, કોઈ વ્યહવારિક ઘટનાઓ નથી, કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ એ લીલાઓ પરમહંસો, અવધુતો માટે યોગભાષામાં લખાયેલા રૂપકો છે. ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજવામાં આવે તો તમારું પોતાનું એક સમાધાન થાય અને એ સમાધાનમાં તમને એમ લાગે કે મારા શાસ્ત્રો, મારો ધર્મ, મારી પરંપરા, દુનિયાની અંદર કોઈ પરંપરાથી ઊતરતી નથી, પણ કદાચ વધારે ભવ્ય અને શ્રેષ્ઠ છે
દુર્યોધને કૃષ્ણને કહ્યું, તમે ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કર્યું? ભગવાને જવાબ આપ્યો ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે.
શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે “LOVE OF GOPIS” અને બતાવ્યું છે કે આ કોઈ ઈતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. ]
શ્રી કૃષ્ણ ચરિત્ર – એમરિલો, ટેક્ષાસ
Side 6A –
– ગોવર્ધન લીલા ચાલુ… ઇન્દ્ર કોણ છે? સકામ કર્મો રૂપી જે યજ્ઞો છે તેમાંથી છૂટવા માટે કૃષ્ણે કહ્યું, આ સકામ વૃત્તિઓ બંધ કરો. તમારે જો મારી જરૂર હોય તો નિષ્કામ કર્મ કરો. ઇન્દ્રના કોપમાંથી બચવા માટે ગોવર્ધન – “ગો” એટલે બ્રહ્મ વિદ્યા, એનું જેમાં વૃદ્ધિ થતી હોય તેનું નામ થાય ગોવર્ધન. @2.22min. લક્ષ્મી અને નારાયણ બંને વિવાદે ચઢ્યા, તે દ્રષ્ટાંત સાંભળો, અને ગોવાર્ધનનો અર્થ સમજો. @9.27min. બીજા દિવસની કથા ચાલુ. કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ શું છે? એની લીલાના પ્રસંગોમાં કોઈ આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે કે માત્ર સ્થૂળજ ચર્ચા કરવામાં આવી છે? વિશ્વમાં જીવ માત્ર સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. એની સાથે બીજી પ્રવૃત્તિ છે કે હું દુઃખી ન થાઉં. આની અંદરજ આખું જીવન છે. સુખ કદી પણ દુઃખ વિનાનું હોતુંજ નથી, એટલે શાસ્ત્રમાં એને દ્વંદ્વ કહ્યું છે. (more…)