માતા તથા સંતાનનો સંબંધ

[ મધર્સ ડે નિમિત્તે માણીએ માતા અને સંતાનનો સંબંધ વિશે સ્વામીજીના વિચારો. સ્વામીજીના પુસ્તક ‘નર-નારીનાસંબંધો‘ ની ઓડિઓ બૂક માંથી સાભાર.]

 

@14.00M-min. માતા થવા માટે કુદરતે સ્ત્રીમાં ઋતુકાળની વ્યવસ્થા કરી છે. રજોદર્શનસાથે પ્રબળ કામેચ્છાના આવેગો પણ શરુ થાય છે અને તે તેને પત્ની થવાની અને પછી માતા થવાની ફરજ પાડે છે. આવુંજ પુરુષની બાબતમાં. જે લોકો આવા આવેગોને દમન કરવાનો ઉપદેશ આપે છે તે યુવાનોને ગુમરાહ કરે છે. આવેગો મર્દાંનગીની નિશાની છે. આ કુદરતી આવેગોને નિયંત્રિત કરવા પતિ-પત્નીનો સંબંધ જરુરી છે. @17.00Min. સાંભળો અવરોધાયેલું શુક્ર વિશે લોકોનો મહાભ્રમ. માતૃત્વ પોતેજ એક તપસ્યા અને તે ગર્ભધાનથીજ શરુ થઇ જાય છે. આવનારા બાળક માટે કેટલાયે સુખોનો ત્યાગ કરે છે. પહેલાં તે પતિ વિના રહી શકતી ન હતી તે હવે બાળક વિના રહી શકતી નથી.