ચિંતન કણિકા – દામ્પત્યવિષયક

[ આ લેખનું અક્ષરાંકન સ્વામીજી ના પુસ્તક  ‘ચિંતન-કણિકાઓ’  માંથી કરવામાં આવ્યું છે. ]

૧. વિશ્વમાં સૌથી વધુ ઝઘડા પતિ-પત્નીઓમાં થતાં હોય છે. કારણ કે સૌથી નિકટનો સંબંધ તેમનો છે. પરસ્પરનાં હિત તથા અપેક્ષાઓ પતિ-પત્ની વચ્ચે સૌથી વધારે હોય છે. લાગણીઓની કોમલતા તથા નાજુકતાનું ક્ષેત્ર પણ પતિ-પત્નીઓમાં સવિશેષ રહેતું હોય છે. એટલે નાની નાની બાબતોમાં પણ લાગણીઓને ઘવાતા વાર નથી લાગતી. પ્રેમની પીઠિકા લાગણી છે અને લાગણીઓ હંમેશા નાજુક તંતુઓથી અવલંબિત હોય છે. આ તંતુઓ આઘાત-પ્રત્યાઘાતને સહી નથી શકતા હોતા. લાગણીઓની તીવ્રતા જેટલી પ્રબળ તેટલી જ તેની નાજુકતા વધારે. તીવ્ર પ્રેમની ગાડી બહુ જ તીવ્રતાથી પાટા ઉપરથી ઉથલી પડતી હોય છે.

૨. પત્ની પાછળ વાસનાના પૂરને કારણે ભટકનાર પતિ કદી સાચો પતિ કે સાચો પ્રેમી નથી થઇ શકતો. તેમ વાસનાના આકર્ષણમાં પતિને ખેંચ્યા કરનાર પત્ની પણ સાચી પત્ની નથી થઇ શકતી. બન્નેના સંબંધો ગમે તેટલા ગહન હોય તોપણ તે ક્યારે કાચની માફક નંદવાઈ જશે તે કહી ન શકાય.

(more…)