ચિંતન કણિકા – ધર્મ : તેનો પરિચય તથા આધ્યાત્મિકતા

[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ ચિંતન-કણિકાઓ’ માંથી કરવામાં આવ્યું છે.]

 

૧. ધર્મ એક જ છે. સંપ્રદાય અનેક છે. ધર્મ પરમાત્માનો બનાવેલો છે. સંપ્રદાય માણસોના બનાવેલા છે. ધર્મ ભેદ નથી કરતો; ભેદ કરે તે સંપ્રદાય છે.

૨. વૈજ્ઞાનિક સત્યોને સ્વીકારી લેવાથી ધર્મને કશી આંચ આવવાની નથી કારણ કે વિજ્ઞાન સત્ય છે, ધર્મ પણ સત્ય છે. તે સત્યોને વિરોધ હોય જ નહિ. બન્ને એકબીજાનાં પૂરક થાય શકે. હા, એવું બને કે વિજ્ઞાનના કારણે સડેલી – ગળી ગયેલી કેટલીક માન્યતાઓ ખોટી ઠરવાની. તે યોગ્ય છે.
(more…)