જીવનનું લક્ષ્ય
[ સ્વામીજી ની નવા પુસ્તક વાસ્તવિકતા માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે.]
૧. જીવનનું લક્ષ્ય સૂખી થવાનૂં છે.
૨. સૂખનું મૂળ છ જગ્યા એ છે: ૧. ભૌતિક સગવડોમાં, ૨. સાંસારીક સુખોમાં, 3. રાજકીય સુરક્ષામાં, ૪. સામાજિક ઉદારતામાં, ૫. આર્થીક સધ્ધરતામાં અને ૬. ધાર્મિક સમાનતામાં.
૩. જેને આ છયે અનુકુળતાઓ મળી છે, તે સર્વોચ્ચ સુખી છે. ધન્ય છે. તેને અહીંજ સ્વર્ગ છે.
૪. જેને આ છની પ્રતિકુળતા મળી હોય તે ભારે દુઃખી હોય છે. તેને અહીંજ નરક છે.
૫. આ સુખો મેળવી શકાય છે. ઘટાડી-વધારી શકાય છે.
૬. જે પોતાને સુખી કરે છે તેને પુરુષાર્થી માનવ કહેવાય.
૭. જે પોતાની સાથે બીજાને પણ સુખી કરે તે સંત કહેવાય.
૮. જે પોતે દુખી થઈને પણ બીજાને સુખી કરે તે મહાસંત છે. તે પૂજ્ય છે, વંદનીય છે.
૯. જે સંતના વેશમાં હોય પણ બીજાને દુખી કરતો હોય તો તેપૂજ્ય કે વંદનીય ન ગણાય.
૧૦. વેશ આધારિત સંત ન હોય પણ ગુણકર્મ-આધારિત હોય.
(more…)