કામ

[ સ્વામીજી ની નવા પુસ્તક વાસ્તવિકતા માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે.]

૧. કામ ઈશ્વરીય રચના છે. હેતુપૂર્ણ છે. તેના દ્વારા સંસાર આગળ વધે છે. તેનો નાશ ન થઇ શકે. નાશ કરવા મથનારા હારી ગયા છે. કામ કદી હારતો નથી. તે હંમેશા વિજયી જ થતો હોય છે.
૨. કામ મહાન ઉર્જા છે. તેને બુઝાવવાનો પ્રયત્ન કરનારા પોતે જ દાઝી જતા હોય છે. જો યોગ્ય સંયમ કરી શકાય તો આ ઊર્જાથી સકારાત્મક નીર્માણ થઇ શકે છે.
૩. ચાર પુરુષાર્થો(ધર્મ-અર્થ-કામ અને મોક્ષ) માં કામ પણ એક પુરુષાર્થ છે. તે સ્વીકાર્ય છે. ત્યાજ્ય નથી. તે જીવનનો પૂરક છે. બાધક નથી.
૪. અતીભોગી અને અતીનીગ્રહી બંને ખોટા છે. કારણ કે બંનેમાં બળક્ષય છે. યથાયોગ્ય સંયમી જ સાચો છે. તેમાં જીવન છે. ઉર્જા હોમીને ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. આ યજ્ઞ છે.
૫. જીવનનાં ત્રણ રૂપ છે. ૧. જીવન ત્યાગવા જેવું છે. ૨. જીવન માણવા જેવું છે. ૩. જીવન જાણવા જેવું છે.
(more…)