Skip to content
- ઘણી વાતો જાણવા છતાં પણ ઢાંકી દેવામાં કે ભૂલી જવામાં જ કલ્યાણ હોય છે. સત્ય પણ કલ્યાણકારી હોય તોજ પ્રગટાવવું હિતકર છે. જે સત્યના પ્રગટ થવાથી કોઈનાં જીવન રહેંસાઈ જતાં હોય તેવા સત્યને પ્રગટ કરવું તે વિવેકનું પગલું ન કહેવાય.
- જીવનપ્રક્રિયા એટલી જટિલ છે કે પ્રત્યેક પગલું પરિસ્થીતિનો વિવેક કરીને ભરાય તો જ કલ્યાણ થાય. ક્રોધની બાબતમાં પણ વિવેકની જરૂર ખરી જ. વિવેક હોય તો ક્રોધ પણ કલ્યાણકારી થઇ જાય.
- વિજ્ઞાન અનિવાર્ય છે, વિકાસ અનિવાર્ય છે, પ્રગતિના પણ પ્રશ્નો છે જ, પણ તેનાં સમાધાન પણ છે. પ્રશ્નો થશે માટે પ્રગતિ જ ન કરવી અને જ્યાંના ત્યાં પલાંઠી વાળીને બેસી રહેવું તે આત્મહત્યા છે.
- (more…)
Page load link