ચારિત્ર્ય
[ આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા’ માંથી કરવામાં આવ્યું છે.]
૧. ચારિત્ર્યનાં મુખ્ય બે ક્ષેત્રો છે: ૧. સેક્સ અને ૨. પૈસો. આ બે ક્ષેત્રોમાં મોરલ હોય તેને ચારિત્ર્ય કહેવાય છે.
૨. આ બેમાં પૂર્વમાં સેક્સ મોરલ ને વધુ મહત્વ અપાય છે. જો સેક્સની બાબતમાં કોઈ વ્યક્તિનું જરા જેટલું સ્ખલન દેખાય તો તે કરોડમાંથી કોડીનો થઇ જઈ શકે છે.
૩. પૂર્વમાં મની મોરલ બહુ મહત્વનું નથી, લાંચ-રુશવત લેનારા કે બેંકો ખાઈ જનારા, કાળાબજાર કરનારા કે કાળું વ્યાજ લેનારા ઈજ્જત-આબરુ સાથે જીવન જીવી શકે છે.