શ્રીકૃષ્ણ એટલે શું? – ભાગ ૨

[ શ્રીકૃષ્ણ એટલે શું? અંતર્ગત આ બીજા ભાગમાં કાલીયનાગનું આધ્યાત્મિક રૂપ અને વ્રજ નો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલો ભાગ વાંચવા માટે અહીં ક્લીક કરો.]

કાલીયનાગનું આધ્યાત્મિક રૂપ

કાલીયનાગની લીલાને સૌ જાણે જ છે. ઘણાના ઘરમાં તો ચિત્ર પણ હશે. પણ હવે આપણે જોવાનું છે કે શું આ કોઈ વાસ્તવિક ઘટના હતી કે પછી કોઈ આધ્યાત્મિક રૂપક હતું? આવો, પ્રથમ બૌદ્ધિક સ્તરે તેની ચકાસણી કરીએ.
ગેડીદડે રમવું તે બરાબર છે, પણ દડો કાલિંદીના ધરામાં પડતાં ડૂબી ગયો? પ્રવાહમાં તણાયો નહિ? કપડાં કે એવી તરનારી વસ્તુનો દડો બન્યો હશે, કાંઈ લોખંડનો તો નહિ જ હોય ને ! જો દડો તરે તો લાંબાં લાકડાં વગેરેથી પણ ખેંચી લઇ શકાય. તરતો તણાય તો દૂર જઈને લઈ શકાય પણ આ દડો પડ્યો તેવો જ તે જ જગ્યાએ ડૂબી ગયો લાગે છે.

(more…)