ચાણક્યની રાજનીતિ – શ્લોક ૫-૭
[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ચાણક્યની રાજનીતિ ’ માંથી કરવામાં આવ્યું છે.]
इन्द्रियजयस्य मूलं विनय: || ૫ ||
ઇન્દ્રિયવિજયનું મૂળ વિનય છે.
વિનય એટલે નમ્રતા – વિવેકપૂર્ણ નમ્રતા. જો રાજા અહંકારી હશે તો ખુશામતિયા પણ હશે, કારણ કે અહંકાર ને ખુશામત ગમતી હોય છે. ખુશામતિયા કદી સત્યવક્તા નથી હોતા. આવા લોકો રાજાના અહંકારને પોષતા હોય છે. અવિનયથી અહંકારી રાજા ઘણા અનર્થ કરી મૂકતો હોય છે. માટે રાજાને વિનય-વિવેકપૂર્વક મહાપુરુષોનો સંગ કરવો અને ઇન્દ્રિયલોલુપતાથી બચવું.