જગત વાસ્તવિક છે
[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા’ માંથી કરવામાં આવ્યું છે. ]
૧. જગત સત્ય છે. મિથ્યા નથી. તે પરમેશ્વરની કૃતિ હોવાથી તેને મિથ્યા કહેવાય નહિ. મિથ્યા કહેવાથી મિથ્યા થઇ જતું નથી. મિથ્યા કહેવાથી જીવનનો કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી.
૨. જગત, સત્ય, શિવ અને સુન્દરમ પણ છે.
૩. જગત માત્ર દુઃખમય નથી પણ સુખમય પણ છે.