કર્મનો સિદ્ધાંત – ભાગ ૧

[ કર્મ વિષે ઘણું લખાયું છે. આ લેખ માં આપણે સ્વામીજી નાં કર્મ વિષે નાં વિચારો માણીએ. આ લેખ આપણે બે ભાગમાં માણીશું. આશા છે કે સુજ્ઞ વાચકો પોતાના વિચારો પણ વ્યક્ત કરશે. આ લેખ સ્વામીજી ના પુસ્તક ‘ઉપસંહાર’ માંથી લેવામાં આવ્યો છે. ]

 

‘કરેલું કર્મ અવશ્ય ભોગવવું પડે છે’ તેવો સિદ્ધાંત લગભગ બધા ધર્મોનો છે, પણ તેમાં જુદી-જુદી માન્યતાઓ પણ છે.
૧. કોઈ પણ સ્થિતિમાં કર્મ માફ થતાં નથી, તેને ભોગવવાં જ પડે છે, કર્મો ભોગવવા માટે તો જન્મો થતા રહે છે. જો જન્મો ન કરવા હોય તો કર્મોને તપસ્યાના દ્વારા ખપાવવાનાં, ખપાવેલાં કર્મો ફળ નથી આપતાં, આવા જીવો મોક્ષની ભૂમિકા તૈયાર કરે છે. કાંઇક આવું જૈનો માને છે.

૨. બૌદ્ધો પણ કર્મફળવાદી છે.
૩. હિન્દુઓ પણ કર્મફળવાદી છે. ફરક એટલો છે કે કેટલાક મતોમાં પરમેશ્વર કર્મોને ક્ષમા કરી શકે છે. તો કેટલાક મતોમાં જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થતાં બાકી રહેલાં કર્મો બળીને ખાખ થઇ જાય છે( ज्ञानाग्नि: सर्वकर्माणि भस्मसात् कुरुतेडर्जुन – गीता) અર્થાત તીવ્ર તપસ્યાથી કર્મોનો ક્ષય નથી થતો, પણ જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થવાથી તેનો ક્ષય થાય છે. અને જ્ઞાન એટલે પોતાની વ્યાખ્યા પ્રમાણે માની લીધેલું જ્ઞાન, જે બીજાની દ્રષ્ટિએ અજ્ઞાન પણ હોઈ શકે.
(more…)