કર્મનો સિદ્ધાંત – ભાગ ૨

[કર્મ નો સિદ્ધાંત ભાગ -૧ આપણે માણ્યો. ભાગ ૨ માં કર્મફળ – પુનર્જન્મ, પ્રારબ્ધ અને પુરુષાર્થ વિષે સ્વામીજી ના વિચારો માણીએ. ]

કર્મફળ – પુનર્જન્મ

કર્મફળ અવશ્ય ભોક્તવ્ય માનવાની સાથે જ પુનર્જન્મ સંકળાયેલો છે. જો કર્મફળવાદ ન હોય તો પુનર્જન્મની જરૂર ન રહે. ‘જીવનો જન્મ કેમ થાય છે?’ તેવા પ્રશ્નના ઉત્તરમાં જવાબ અપાય છે: ‘અનેક જન્મોના બાકી રહેલાં કર્મોમાંથી જે કર્મો પાક્યાં છે તેને ભોગવવા માટે.’ એટલે પાકેલાં કર્મો પ્રમાણે જીવાત્માને વર્ણ-જાતિ, ધન, આરોગ્ય, સફળતા-નિષ્ફળતા, નર-નારીના સંબંધો, પુત્ર-પુત્રાદિની પ્રાપ્તિ, આયુષ્ય વગેરે મળે છે. એક રીતે પૂર્વનાં કર્મો પ્રમાણે જ તેને બધું સુખ-દુઃખ પ્રાપ્ત થતું હોય છે. જરા વિસ્તારથી ચર્ચા કરીએ. આટલી ચર્ચા કર્યા પછી હવે મૂળ વાત ઉપર આવીએ.

(more…)