હિંદુ પ્રજાના ઉકેલ માગતા ચાર પ્રશ્નો – (૨)

[ અસંખ્ય સંપ્રદાયો, પંથો, પરિવારો અને મંડળોમાં વહેંચાયેલી પ્રજા ઈશ્વરની જગ્યાએ કોઈ વ્યક્તિની પૂજા કરે છે અને ધર્મની જગ્યાએ ધર્માભાસનું સેવન કરે છે. પ્રજાને જરૂર છે ઈશ્વરના એકીકરણની. હજારો દેવી દેવતા અને ઈશ્વરોમાં જ નહિ પણ વ્યક્તિપૂજામાં વહેચાયેલી ગુમરાહ પ્રજાને એકેશ્વરનિષ્ઠામાં સ્થિર કરવાની જરૂર છે. પ્રજાને જરૂર છે સમાનતા અને સમતા આપનારા માનવતાવાદી ધર્મની.  હવે તો નિષ્ક્રિયતાને ખંખેરીને સૌ કોઈ પોતાના જ ભવિષ્યને સુધારવાના કામે લાગે. – સ્વામી સચ્ચિદાનંદ

‘હવે તો જાગીએ’ પુસ્તકની ભૂમિકા માંથી. ]

 

૨. સેંકડો સંપ્રદાયો

હિંદુ પ્રજાના ભૂતકાળને, વર્તમાનને તથા ભવિષ્યને ધમરોળી નાખનાર બીજું તત્વ છે હજારો સંપ્રદાયો. મને એક સ્થળેથી જાણવા મળ્યું કે હિંદુ પ્રજા સંપ્રદાયો, પેટા સંપ્રદાયો, પંથો, મંડળો, પરિવારો વગેરે દ્વારા વીસ હજાર ભાગોમાં વિભાજીત થઇ છે. કદાચ આ આંકડો સાચો હોય. કદાચ થોડો વધારે પણ હોય, પણ હિંદુ પ્રજા હજારો સંપ્રદાયોમાં વહેંચાયેલી છે, તેમાં તો શંકા જ નથી. મૂળ સનાતન ધર્મની જગ્યાએ આટલા બધા સંપ્રદાયો ફૂટી નીકળ્યા છે અને પ્રજા ઉપર છવાઈ ગયા છે. જોકે બીજા ધર્મોમાં પણ પાંચ-દસ-પચીસ સંપ્રદાયો હોય જ છે, પણ અહીં તો સેંકડો નહિ પણ હજારોની સંખ્યા જોઈ શકાય છે.
(more…)