ગુરુ તેગબહાદુરજી
સિક્ખપંથના આઠમા ગુરુ હરિકૃષ્ણજી માત્ર આઠ જ વર્ષની આયુમાં અવસાન પામ્યા અને અવસાન પહેલાં ‘બાબા બકાલા’નું નામ પ્રસ્તુત કરતા ગયા તેથી બાબા બકાલા એટલે ગુરુ તેગબહાદુરજી ગુરુગાદીના વારસદાર થયા. પણ બીજા પણ કેટલાક લોકો પોતે જ ખરા વારસદાર છે તેવો દાવો કરવા લાગ્યા. આમાંના એક હતા વિમુખ થયેલા ધીરમલ. ધીરમલની વાત પછી કરીશું પહેલાં ગુરુ તેગબહાદુરજી વિશે થોડી વાતો કરીએ.
ગુરુ હરિગોવિંદ સાહેબના ઘરે માતા નાનકીજીની કૂખથી 1-4-1621ના રોજ અમૃતસરમાં ગુરુ તેગબહાદુરજીનો જન્મ થયો હતો.
તેમનાં લગ્ન કરતારપુર નિવાસી લાલચંદની સુપુત્રી ગુજરીદેવીની સાથે થયાં હતાં. તેમને એકમાત્ર સંતાન ગુરુ ગોવિંદસિંહજી 22-12-1666 ને રવિવારના રોજ પટનામાં થયો હતો.
ગુરુ હરિકૃષ્ણજીના પછી વારસદાર તેઓ હોવા છતાં, તેઓ માતા નાનકીજીની સાથે બકાલામાં રહેતા હતા. ગુરુગાદીના સાચા વારસદાર હોવા છતાં ધીરમલ પોતાને ગુરુ માનીને કરતારપુરમાં ગાદી લગાવીને સિક્ખો પાસેથી ભેટપૂજા લઈ લેતા હતા.
બીજા પણ એક બાબા સોઢી હરજી પણ પોતાને ગાદીપતિ માનતા હતા. આમ ચાર-પાંચ મહિના સુધી અનિર્ણાયક સ્થિતિ રહી. એ સમયે બીજા પણ કેટલાક લોકો ગુરુ થઈને પૂજાવાનો પ્રયત્ન કરતા હતા. આવી અસ્પષ્ટ સ્થિતિમાં મક્ખનશાહનો સિક્ખ સૌદાગર આવ્યો અને તેને ખાતરી થઈ ગઈ કે સાચા ગુરુ તો તેગબહાદુરજી જ છે. એટલે તેમણે લોકોમાં જાહેરાત કરી કે ખરા ગુરુ તો આ તેગબહાદુરજી જ છે. ત્યારે તેમની ઉંમર 43 વર્ષની હતી.
ધીરમલ પોતાના માથાભારે માણસો મોકલીને સાચા ગુરુજી પાસે આવેલી ભેટ-પૂજા પડાવી લેતો. તેમના ચુસ્ત અનુયાયીઓ તો ગુરુજીની હત્યા કરવાની પણ યોજના બનાવતા હતા. પણ મક્ખનશાહ જેવો વીર સૌદાગર ગુરુજીના પક્ષમાં હોવાથી ધીરમલ કાંઈ કરી શકતા નહિ.
(more…)