શ્રીકૃષ્ણ (૪)
બુદ્ધ અને આમ્રપાલી ચાલુ… સહજાનંદ સ્વામી, જેતલપુરમાં એક સ્ત્રીએ કરેલી પાપની કબુલાત. પ્રસ્ચ્યાતાપ રૂપે અનાજ દળવાનું કામ સોપ્યું. @૪.૧૦મિન. શ્રીમદ ભાગવતની ઉત્થાનિકામાં વ્યાસને શાંતિ જોઈએ છે અને શાંતિ પ્રેમથી મળે છે. ભાગવતનું લક્ષ્ય વ્યક્તિમાં સાર્વજનિક પ્રેમ ઉત્પન્ન કરવાનું છે. રામાનંદ અને કબીર. ચૈતન્ય મહાપ્રભુનો ઉપદેશ. @૭.૫૩મિન. એક મિલના મેનેજરની વાત. @૧૦.૪૫મિન. પ્રેમનું પ્રાગટ્ય ક્યારે થાય? કૃષ્ણ કોણ છે? જ્યાં ને ત્યાંજ બેઠા બેઠા ૮૪ કોષની યાત્રા કેવી રીતે થાય? કંસે પૂતનાને નંદના ઘરે મોકલાવી. પૂતના માસી કેવી રીતે? @૨૧.૪૫ શક્તિઓ વિશે. પ્રેમને ઉત્પન્ન કરનારી દૈવી માયા, પ્રેમનું રક્ષાન કરનારી રાજસી માયા અને ભોગ પ્રદાયિની શક્તિ એટલે સ્તન ઉપર ઝેર ચોપડેલું છે અને તેથી સાધક એ તરફ વળ્યો તો તે પોતે ચૂસાઈ જાય અને એ તમારું સામર્થ્ય વધતું હોય ત્યારે આવે છે, તેમાં પાયમાલી છે. (more…)