ગાંધર્વ વેદ-૨
– Side A
પુસ્તકાલય – MAHESANA (મહેસાણા) – જે ભય, લોભ, મોહ વિગેરે દબાણોથી મુક્ત થઇ શકે અને એ ચિંતનને સમય ઉપર નિર્ભય થઈને પ્રગટાવે તે બ્રાહ્મણ છે. શસ્ત્ર શૂર કરતાં વક શૂર વધારે મહાન છે. મહાભારતમાં ચીર ખેંચતા હતા ત્યારે કેમ કોઈ બોલ્યું નહિ? રાવણની સભામાં વાકશૂર લોકો છે અને રાવણના કૃત્યને વખોડી કાઢ્યું. કવિઓની અને સાહીત્યકારોની બલિહારી છે કે તેઓ જેનાપર ખુશ થાય તેને ભગવાન બનાવી દે અને જેના ઉપર નારાજ થાય તેને રાક્ષસ બનાવી દે. @10.00min. પ્રજાના મોરલનું માપ: જે સંધી કરવા ઉતાવળી થતી હોય તેનું ઐતીહાસીહ કાઠું ન હોય. ૧૯૬૫ અને ૧૯૭૧નુ યુદ્ધ. તમારી પાસે એક મણ શૌર્ય હોય તો એક શેર અહિંસાની વાત કરવી. 16.20min. હિંદુ પ્રજાનું મસ્તિષ્ક અમે ધર્મગુરુઓ ઘડીએ છીએ. પેટલાદના ડોકટરો વિશે અફવા ફેલાવી ધંધો બંધ કરાવ્યો. @21.23min. જેને વિજયનો ઉન્માદ ચઢે તે પરાજયને ન પચાવી શકે, તે મહાપુરુષ પણ ન થઇ શકે. માણસનું મૂલ્યાંકન પરાજયના દિવસોમાં થાય છે. @26.33min. ભગતસિંહને બચાવવા આવેલું, ગાંધીજી પર દબાણ અને તેના પ્રત્યાઘાતો સાંભળો. ભારતનું પતન ઐતિહાસિક રીતે પૃથ્વીરાજથી થયું. સંયુક્તાના પ્રેમમાં આખું રાજ ગુમાવ્યું. @31.42min. સંપત્તિ અને નિશ્ચિંન્તતા કદી સાથે રહી શકે નહિ. સંપત્તિના ઢગલા પર બેસીને પણ જીવન જીવવાની એક કળા છે, જે ગીતા અને ઉપનિષદ આપે છે. @37.48min. ખેરાલુના બાપુ જેટલું તો ગાંધીજીનું ટોળું પણ ન હતું. પાણીના શીશા લઇને ડોકટરો પણ ફૂંક મરાવવા લાઈનમાં ઊભા હોય. ગાંધી નગર અને દિલ્હીમાં તાંત્રિકો અને જ્યોતિષનું ચાલે છે. આપણે પુરુષાર્થ માર્ગી પ્રજા નથી પરંતુ આશીર્વાદ માર્ગી પ્રજા છીએ. પશ્ચિમની પ્રજાનું મગજ ચિંતકો, વૈજ્ઞાનિકો, ફિલોસોફરો અને રાજનીતિજ્ઞો ઘડે છે. @43.14min. ભારતને સૌથી મોટામાં મોટી જરૂર તેના બૌધિક સ્વરૂપને રીફાઇન્ડ કરવાની છે. તમે આસ્તિક શ્રદ્ધાળુ બનો પણ અંધશ્રદ્ધાળુ ન બનો કે લોકો તમને છેતરી જાય. વિજ્ઞાન ન હોય તો જ્ઞાન મારી જાય. અને જ્ઞાનને પૂર્ણવિરામ આપો તો પણ જ્ઞાન મારી જાય. જે પ્રજા સતત નવું નવું શોધતી હોય છે તે સુપર પ્રજા બનતી હોય છે.
(more…)