બળાત્કાર
1. બળાત્કાર માત્ર માનવજાતિમાં જ થતો જણાયો છે. માનવ સિવાયની બધી જાતિઓમાં બળાત્કાર થતો જણાતો નથી.
2. જો આ વાત સાચી હોય તો ‘પાશવી બળાત્કાર’માં પશુ શબ્દ, પશુઓનું અપમાન કરવા બરાબર છે. પશુઓ બળાત્કાર કરતાં જ નથી પછી પાશવી શબ્દ પ્રયોજાય જ કેવી રીતે? ખરેખર તો ‘માનવીય બળાત્કાર’ એમ લખાવું જોઈએ.
3. પશુઓ બળાત્કાર નથી કરતાં તેનો અર્થ પશુઓ કામાતુર નથી થતાં તેવો નથી. પશુઓ પણ કામાતુર થાય જ છે. પણ કામાતુર નર, માદાને રીઝવવા પ્રયત્નો કરે છે. કલાકો સુધી તેની પાછળપાછળ ફરે છે. અને પછી રીઝેલી માદા નરને અનુકૂળ થાય છે. ન રીઝેલી માદાને બળજબરીથી અનુકૂળ કરવાનો પશુ-નર પાસે કોઈ ઉપાય નથી હોતો. જો માદા ઊભી જ ન રહે તો કાંઈ કરી શકે નહિ. બહુ બહુ તો તેને દોડાવ-દોડાવ કરે. બળાત્કાર તો ન જ કરી શકે.
4. પુરુષનર જ્યારે સ્ત્રીની ઇચ્છાવિરુદ્ધ તેના ઉપર બળાત્કાર કરે છે ત્યારે તેને ભય, માર-ઝૂડ કરીને અને સૌથી મોટી વાત તો એ છે કે તેને બાંધીને પણ પોતાને આધીન કરી શકે છે. કુદરતી રીતે સ્ત્રી-શરીરની રચના તેની મોટી મજબૂરી છે. તે પોતાના ગુપ્તાંગને બંધ નથી કરી શકતી. જોર-જબરદસ્તીથી તેનો ઉપયોગ કરી શકાય છે. જો આ વાત સાચી હોય તો સ્ત્રીએ હંમેશાં રક્ષિત જીવન જીવવું જોઈએ. કોઈ ને કોઈ પુરુષના રક્ષણમાં અથવા સ્ત્રી-સમૂહના રક્ષણમાં તેણે જીવન જીવવું જોઈએ. એકાકી સ્ત્રી અનર્થોને આમંત્રણ આપે છે.
(more…)